SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મ પંથની યાત્રા જાકી જ્ઞાન મહિમા ઉદ્યોત દિન દિન પ્રતિ, સાઉ ભવસાગર ઉલંધી પાર ગયો છે.' “શ્રામણ્ય જ્યાં એકાઢે ને એકાગ્ય વસ્તુ નિશ્ચય નિશ્ચય બને આગમ થકી, આગમ પ્રવર્તન મુખ્ય છે.” “પ્રવચન અંજન જો સદ્ગુરુ કરે, દેખે પરમ નિધાન જિનેસર; હૃદય-નયણ નિહાળે જગધણી, મહિમા મેરુ સમાન જિનેસર, ધર્મ જિનેર ગાઉં રંગશું, ભંગ મ પડશો હો પ્રીત જિનેસર આ પ્રમાણે જ્ઞાનીપુરુષના વચનના આધારે વસ્તુસ્વરૂપનો યથાર્થ નિર્ણય કરવો જોઈએ કે આ જ સમ્યગુજ્ઞાન છે. જ્યાં સુધી આવું સમ્યગૂજ્ઞાન અંતરમાં સુસ્થિત ન થાય ત્યાં સુધી ચિત્ત ચંચળ રહે, ભય અને આકુળતા ટળે નહિ અને અનેકવિધ સંકલ્પ-વિકલ્પોની જાળમાં સાધક ફસાયેલો રહે. કદાચિત્ ઉપર ઉપરથી સમભાવ રાખવાનો પ્રયત્ન કરે, પણ યથાર્થબોધમાં સ્થિરતા ન થઈ હોવાથી નામમાત્ર સમતા-ઉપલક સમતાદેખાવની સમતા આવે, સાચી સમતા આવે નહિ. આમ વસ્તુનો યથાર્થ નિર્ધાર અંતરમાં થયા વિના જગતના અનેકવિધ પદાર્થોમાં વૃત્તિ દોડ્યા કરે છે અને જ્યાં સ્થિર થવી જોઈએ ત્યાં સ્થિર થઈ શકતી નથી. આ વિશ્વનો સર્વોત્કૃષ્ટ પદાર્થ મારો શુદ્ધ આત્મા જ છે; તેનાથી વિશેષ, મોટું, મહાન, ઉન્નત, સુખદાયક, ઊંચી કક્ષાનું, ઉપાદેય, સ્વીકાર્ય, આદરણીય, શ્રેયરૂપ, ધ્યેયરૂપ, લક્ષ્યરૂપ, શ્રદ્ધવાયોગ્ય, પ્રાપ્તવ્ય, અને કૃતકૃત્યતાદાયક અન્ય કાંઈ જ નથી એવો નિર્ણય મુમુક્ષુને થવો અનિવાર્ય છે. આવો પરમ પદાર્થ જે નિજાત્મા, તેમાં પ્રેમનો પ્રવાહ તો જ વળે જો તેનું સર્વોત્કૃષ્ટપણું અંતરમાં નિર્ધારિત કરીને તેનો જ અભ્યાસ કરવામાં આવે. યથા “એ રીત દર્શનજ્ઞાન છે, ઈન્દ્રિય-અતીત મહાર્થ છે, માનું છું આલંબનરહિત જીવ, શુદ્ધ, નિશ્ચય ધ્રુવ છે.* | - N S શ્રી સમયસાર નાટક. શ્રી પ્રવચનસાર-૨૩૨. યોગીરાજ શ્રી આનંદઘનજી મહારાજ. શ્રી પ્રવચનસાર, ૧૯૨. » Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001289
Book TitleAdhyatmana Panthni Yatra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2005
Total Pages121
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy