SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મ પંથની યાત્રા જો આત્મજ્ઞાન ન થાય તો સર્વ પદાર્થના જ્ઞાનનું નિષ્ફળપણું છે. જેટલું આત્મજ્ઞાન થાય તેટલી આત્મસમાધિ પ્રગટે. પાપમય વાતો, અતિરાગ વગેરે પ્રમાદના પ્રકારોથી સાધકને મોક્ષમાર્ગમાં બાધા ઉત્પન્ન થઈને સંસારવૃદ્ધિ થાય છે, જે તેને ભયનો હેતુ છે (કારણ કે સાધક તે જ છે જે ભવથી ભયભીત હોય છે.) હવે સર્વ પ્રકારનાં જ્ઞાનમાં આત્મજ્ઞાનની શ્રેષ્ઠતા છે એવો સિદ્ધાંત ૨જૂ ક૨ીને સાધકને તેની પ્રાપ્તિ કરવા પ્રેરણા આપે છે : આ જગતમાં અનંત પદાર્થો છે, તે સર્વ પદાર્થોનું જ્ઞાન (એક પછી એક એમ) જુદું જુદું ક૨વા જાય તો કદાપિ પાર આવે નહિ, પરંતુ પ્રયોજનભૂત એવા જીવ-અજીવ (જડ-ચેતન)ના યથાર્થ જ્ઞાનના પરિચયથી અંતરંગ વિવેકને જગાડે તો સ્વ-૫૨-પ્રકાશક, શીતળ, નિર્મળ આત્મજ્ઞાન પ્રગટે, જે ક્રમશઃ વર્ધમાન થઈને પૂર્ણજ્ઞાનને પ્રગટ કરે. માટે, જગતના પદાર્થોનું બાહ્યલક્ષી ગમે તેટલું જ્ઞાન ક૨વામાં આવે પણ આત્મલક્ષે જો તે ન ક૨વામાં આવે, અર્થાત્ યથાર્થ ભાવભાસન સહિત જો તે જ્ઞાનની આરાધના ન કરવામાં આવે તો તે બાહ્યલક્ષી જ્ઞાન મોક્ષનું કારણ થઈ શક્તું નથી, અને તેથી પરમાર્થે જ્ઞાનીઓએ તેને નિષ્ફળ કહ્યું છે યથા :-- જે એકને (આત્માને) જાણે છે તે સર્વને જાણે છે, અને જે સર્વને જાણે છે તે એકને જાણે છે. (દોહા) 9.3 જબ જાન્યો નિજ રૂપકો, તબ જાન્યો સબ લોક, નહીં જાન્યો નિજ રૂપકો, સબ જાન્યો સો ફોક. " एकेन ज्ञातेन सर्व विज्ञातं भवति इति किम् ?” “હે મુમુક્ષુ ! એક આત્માને જાણતા સમસ્ત લોકોલોકને જાણીશ, અને સર્વ જાણવાનું ફળ પણ એક આત્મપ્રાપ્તિ છે; માટે આત્માથી ૨. ૩. શ્રી આચારાંગ સૂત્ર ૧-૩-૪-૧૨૨ શ્રીમદ્ રાજચં, હાથનોંધ, ૧/૧૪ અજ્ઞાતં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001289
Book TitleAdhyatmana Panthni Yatra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2005
Total Pages121
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy