SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ સાધક-ભાવના કરવું હતું તે ના કર્યું પ્રમાદ કેરા જોરથી, સૌ દોષ મુક્તિ પામવા, માગું શમા હું હૃદયથી. મુજ મલિન મન જો થાય તો તે દોષ અતિક્રમ જાણતો, વળી સદાચારે ભંગ બનતાં, દોષ વ્યક્તિકમ માનતો; તે અતિચારી સમજવો, જે વિષયસુખમાં હાલતો, અતિ વિષયસુખ આસક્તને, હું અનાચારી ધારતો. ૯ મુજ વચન વાણી ઉચ્ચારમાં, તલભાર વિનિમય થાય તો, જો અર્થ માત્રા પદ મહીં, લવલેશ વધઘટ હોય તો; યથાર્થ વાણીભંગનો, દોષિત પ્રભુ હું આપનો, આપી શમા મુજને બનાવો, પાત્ર કેવલ બોધનો. ૧૦ પ્રભુવાણી ! તું મંગલમયી, મુજ શારદા હું સમજતો, વળી ઈષ્ટ વસ્તુ દાનમાં, ચિંતામણિ હું ધારતો; સુબોધ ને પરિણામશુદ્ધિ, સંયમને વરસાવતી, તું સ્વર્ગનાં દિવ્ય ગીત સુણાવી, મોકલવમી અર્પતી. ૧૧ સ્મરણ કરે યોગી જનો, જેનું ઘણા સન્માનથી, વળી ઈન્દ્ર નર ને દેવ પણ, સ્તુતિ કરે જેની અતિ; એ વેદ ને પુરાણ જેનાં, ગાય ગીતો હર્ષમાં, તે દેવના પણ દેવ હાલા, સિદ્ધ વસજો હૃદયમાં. જેનું સ્વરૂપ સમજાય છે, સજ્ઞાન-દર્શન-યોગથી, ભંડાર છે આનંદના જે, અચળ છે વિકારથી; પરમાત્મની સંજ્ઞા થકી, ઓળખાય જે શુભ ધ્યાનમાં, તે દેવના પણ દેવ વહાલા, સિદ્ધ વસજો હૃદયમાં. ૧૩ જે કઠિન કષ્ટો કાપતા પણ વારમાં સંસારનાં, નિહાળતા જે સૃષ્ટિને જેમ બોરને નિજ હસ્તમાં, Jain Education International For Private & Personal Use Only ૧૨ www.jainelibrary.org
SR No.001286
Book TitleSadhak Bhavna
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2005
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy