SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ સામાયિક પાઠ ૧૦૭ મારી સાથે ઔપચારિક, વ્યાવહારિક કે પારમાર્થિક શો સંબંધ છે, તેનો યથાર્થ વિચાર જે કરી શકે છે તેને પરમપદની પ્રાપ્તિ થઈ શકે સુવિચારણા-તત્ત્વભાવના-ધર્મધ્યાન : ઉપરોક્ત પ્રકારની યથાર્થ વિચારણા કરવા માટે સામાન્ય મનુષ્યને જ્ઞાની-ગુરુની આવશ્યકતા પડે છે અને સાથે સાથે પોતાનું જીવન સત્યમય, અહિંસામય અને સદાચારી બને તે માટે પુરુષાર્થ કરવો પડે છે. આ બે મુખ્ય સાધનો ઉપરાંત, પૂર્વે થયેલા અનુભવી મહાન ધર્માત્માઓએ પોતાના જીવનના નિચોડરૂપે તૈયાર કરેલાં વચનોનો (સન્શાસ્ત્રોનો) જિજ્ઞાસુવૃત્તિથી અભ્યાસ કરવો એ પણ તેને વિશેષપણે ઉપયોગી, ઉપકારી અને સહાયક બને છે. સામાન્ય વિવેક : જે વિવેકી મનુષ્ય ઘર્મરૂપી પુરુષાર્થ પ્રત્યે વળે છે તેને અવશ્ય વૈરાગ્યભાવ જન્મે છે અને જગતના વ્યવહારમાં મુખ્ય ગણાતાં એવાં ધનધાન્ય, સોનુંરૂપું, સ્ત્રી-પુત્ર, મકાન-જમીન વગેરે પદાર્થો પ્રત્યેનો તીવ્ર મોહ ઘટે છે. હવે, સાત્ત્વિક પ્રવૃત્તિઓમાં અને તેવી પ્રવૃત્તિ કરનારા સંતો, સત્સંગીઓ, ધર્માત્માઓ અને પરમાત્મામાં તેને રુચિ અને રસ જાગે છે અને આમ દૃષ્ટિ બદલાતાં ક્રમે કરીને તેની જીવનદશા પણ બદલાય છે. તેના જીવનમાં હવે સત્સંગ, સદ્વાચન, સાદાઈ, સદ્ગુણસંપન્નતા, સંતોષ અને શાંતિપ્રિયતા સહિત વિશ્વમૈત્રીનો ભાવ સહજપણે આવિર્ભાવ પામે આનાથી આગળની કક્ષામાં સૂક્ષ્મ વિવેકની જરૂર પડે છે. સ્થૂળપણે, આપણી સૌથી નજીક જે પદાર્થ જન્મથી મૃત્યુ સુધી સાથે ને સાથે જ રહે છે તેને આપણે શરીર કહીએ છીએ. આ શરીર સાથે આપણો શો સંબંધ છે. તેનો વિચાર માત્ર સૂક્ષ્મ વિવેકી પુરુષ www.jainelibrary.org! Jain Education International For Private & Personal Use Only
SR No.001286
Book TitleSadhak Bhavna
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2005
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy