SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ આમ, આ ગ્રંથમાં આલેખાયેલા પાથેયને સમગ્રપણે લક્ષમાં લઈએ તો તેને અંગ્રેજીમાં કંઈક આવું નામ આપી શકાય, “Abbreviatied encyclopaedia of equanimity - promoting enlightened way of life.'' અહીં પ્રતિપાદિત થયેલા સત્ય બોધના આશયને સત્સંગના યોગે સાપેક્ષપણે સમજી, તેનો જીવનમાં સાચો પ્રયોગ કરવામાં આવશે તો તેથી ઉત્તરોત્તર સર્વાંગ જીવન-ઉત્કર્ષની, દિવ્યજ્ઞાનની અને અલૌકિક આનંદની પ્રાપ્તિ થશે એવો અમારો સ્વયં અનુભવ છે. તે અન્ય સર્વ ધર્મજિજ્ઞાસુઓને પણ યથાપદવી પ્રેરણા, પ્રગતિ, શાંતિ અને આનંદ આપનારો બની રહો. ગ્રંથની ઉપયોગિતા ૧. આ ગ્રંથ સામાન્ય મનુષ્યને પણ કંઈક અંશે ઉપયોગી બનશે, કારણ કે તે પણ પોતાનું જીવન સંસ્કારી, ઉમદા અને સજ્જનને શોભે તેવું બનાવવા તો ઇચ્છે જ છે. ૨. આ ગ્રંથ ધર્મ, તત્ત્વજ્ઞાન અને ઇતિહાસના વિદ્યાર્થીને અને તત્ત્વજિજ્ઞાસુને લાભદાયી થશે, કારણ કે તેને આમાંથી સંક્ષેપમાં સારી એવી ઉપયોગી માહિતી પ્રાપ્ત થશે. ૩. ધર્મવક્તવ્યો આપનાર, તેમ જ વિદ્વાન વક્તા કે સ્વાધ્યાયકાર બનનાર માટે આ ગ્રંથ વિશેષ ઉપયોગી બનશે, કારણ કે તેને માટે આમાં ઘણાં પ્રકારનું વિવિધલક્ષી જીવનોપયોગી પાથેય (માહિતી) આપ્યું છે. ૪. મુખ્યત્વે તો પ્રત્યેક સાધકને ઉપયોગી છે. જઘન્ય, મધ્યમ અને ઉત્તમએમ ત્રણેય કક્ષાના સાધકને અધ્યાત્મદૃષ્ટિ અને આત્મલક્ષ વર્ધમાન કરવા માટેની પુષ્કળ સામગ્રી અનેક દૃષ્ટિકોણથી અહીં પીરસવામાં આવી છે. ભક્તિમાર્ગી હોય, જ્ઞાનમાર્ગી હોય, યોગાભ્યાસી હોય કે અનાસક્ત કર્મયોગનો અભ્યાસી હોય-દરેકને પોતપોતાને યોગ્ય અને ઉપકારક વિચાર સામગ્રી આપીને તેની જિજ્ઞાસા સંતોષવા પ્રયત્ન કર્યો છે. VII Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001283
Book TitleSanskar Jivanvigyana ane Adhyatma
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2000
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy