SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ સંસ્કાર છે આધ્યાત્મિક જીવનમાં તો ધર્મ અને મોક્ષ એવા બે પુરુષાર્થની જ મુખ્યતા છે. છતાં સામાન્ય મનુષ્યજીવનમાં, જ્યાં અર્થ અને કામની મુખ્યતા જોવામાં આવે છે ત્યાં પણ પ્રસન્નતાની પ્રાપ્તિનું જ ધ્યેય હોય છે. અહીં પણ જ્યાં અવિવેકપૂર્ણ તૃષ્ણાઓને અનુસરવામાં આવે છે ત્યાં સમાધાન કે પ્રસન્નતાને બદલે ઉદ્વેગ, ચિંતા અને અવ્યવસ્થાનો જ અનુભવ થાય છે. માટે સામાન્ય ગૃહસ્થને પણ વિચાર-વિવેક સહિત જીવન જીવવા માટે અને સામાજિક દૃષ્ટિએ પણ અન્યાયપૂર્વકની કહેવાય તેવી કાર્યપદ્ધતિથી નિવૃત્ત થવા માટે અનુભવજ્ઞાની પુરુષોએ પ્રેરણા કરી છે. આ વાત જ્યાં ભુલાઈ જાય છે અને જે જીવનમાં અસીમ ધનસંચય, વિષયલંપટતાનો અતિરેક અને ખ્યાતિનામ વગેરે પાછળ આંધળી દોટ જોવામાં આવે છે ત્યાં ત્યાં સર્વત્ર તત્કાલીન અને પરંપરીય આકુળતા અને ઉદ્વેગ અનુભવાય છે. આમ બનવા છતાં, શાંતિપૂર્વક જીવન જીવવાથી પોતાને દરેક પ્રકારે લાભ જ છે, એવું પ્રાયે ભૂલી ગયેલો વર્તમાન માનવ પ્રસન્નતા, સ્વસ્થતા, આરોગ્ય, ઊંઘ કે નિરાંતનો અનુભવ કેવી રીતે કરી શકે? આ હાલત છે આજના આપણા સુધરેલા, ભણેલા ગણેલા અને આધુનિક મનુષ્યની!! જ્યાં સુધી જીવનમાં સાચી સમજણ પ્રાપ્ત કરવામાં નથી આવતી ત્યાં સુધી ગૃહસ્થજીવન હોય કે ત્યાગીજીવન હોય, પ્રસન્નતાનો કે સમાધાનનો અનુભવ નહિ થાય. જે કાર્ય પરિણામે પણ દુઃખનો કે અશાંતિનો અનુભવ કરાવે છે તે કાર્ય કરવાની અને કર્યે રાખવાની ટેવ સાચી સમજણથી, અભ્યાસથી, સત્સંગાદિ સાધનોથી અને પુરુષાર્થથી છોડવી એ પ્રસન્ન જીવન જીવવાનો રાહ છે. લોકોને રાજી કરવાનું જ ધ્યેય નહિ રાખતાં, કઈ રીતે v s-૬૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001283
Book TitleSanskar Jivanvigyana ane Adhyatma
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2000
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy