SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ - અધ્યાત્મ | મેળવીને આગળની સાધકદશામાં બળ કરીને આગેકૂચ કરવી. આ પ્રકાર ભજતાં ત્વરાથી આગળની દશા કદાચ ન પ્રગટે તોપણ ક્રમે ક્રમે તે પ્રગટશે. તે દિશામાં સતત અને ઘનિષ્ઠ પ્રયત્ન સિવાય બીજો કોઈ માર્ગ છે નહીં. જયવંત વર્તે તમારી સાધના! નિષ્કટક હો તમારો સાધનાપંથ! સદેવ હો સતપુરુષોના આશીર્વાદ તમ ઉપર! જીવમાત્રનું લક્ષ શાશ્વત સુખ છે. તે સુખની પ્રાપ્તિ મોક્ષ. વિના કોઈને થતી નથી. પરમાર્થથી જોતાં તે મોક્ષમાર્ગનું પ્રથમ સોપાન આત્મજ્ઞાન છે. દ્વિતીય સોપાન એક-દેશસંયમ, તૃતીય સોપાન સકળ-સંયમ અને છેલ્લું સોપાન સંપૂર્ણ મોક્ષની પ્રાપ્તિરૂપ પરમજ્ઞાનાનંદમય દશા છે. હવે નિશ્ચયથી જોતાં, સાક્ષાત્ મોક્ષમાર્ગની પ્રાપ્તિ તો સ્વાનુભૂતિથી થાય છે, પરંતુ તે સ્વાનુભવરૂપ દશા પ્રાપ્ત કરવા આત્મસાધકને અનેકવિધ સાધન અંગીકાર કરવાના હોય છે જેવાં કે સત્સંગ, તત્ત્વાભાસ, ગુણગ્રહણતા, વિવિધ પ્રકારે તપ, પ્રભુભક્તિ, ઇન્દ્રિય-નિગ્રહ, મનોજય ઇત્યાદિ. આ કાળે અમ જેવા મુમુક્ષુઓ માટે તત્ત્વાભાસ (જેને સ્વાધ્યાય પણ કહીએ છીએ) અને પ્રભુભક્તિ એ બે અંગો આત્મસાધનમાં A-૫૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001283
Book TitleSanskar Jivanvigyana ane Adhyatma
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2000
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy