SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મ – અધ્યાત્મ – સાધકદશાને સંપ્રાપ્ત થવા માટે અનેકવિધ તૈયારીઓ કરવી પડે છે, તેમાંની નીચે કહી તે વિશેષપણે આરાધવી રહી : ૧. આહારમાં લોલુપરહિતપણું, ૨. શારીરિક વિશેષ પરિશ્રમનો (થાકનો) અભાવ, ૩. સ્વાધ્યાયપરાયણતા, ૪. દિવસની પ્રવૃત્તિ દરમિયાન વારંવાર આત્મસ્મરણનો અભ્યાસ અને નિયત સમયે ધ્યાનનો અભ્યાસ, ૫. ધીરજ અને ખંત. આવી સાધનસામગ્રી અગ્રિમ સાધકને જ પ્રાપ્ત થઈ શકે તેમ જાણો. તે સાધક ત્યાગ-સન્મુખ જીવનવાળો હોય અથવા ત્યાગી હોય. સામાન્ય ગૃહવાસમાં રહેલો સાધક સફળતાપૂર્વક ઉપર્યુક્ત સાધનાસામગ્રીને આત્મસાત્ કરી શકતો નથી. . તો હવે અમારે આગળ વધવા માટે શું કરવું? તેનો મુખ્ય ઉપાય તો પરમ સત્સંગ છે; એટલે કે આત્મદશા જેમને વર્તે છે તેવા મહાપુરુષોનો ગુરુકુળ વા સાધનાલયમાં સંગ છે. તથારૂપ સંગ અત્યંત વિરલ જાણીએ છીએ, તેમ વળી ઉપર્યુક્ત કહી તેવી વિશિષ્ટ સાધકદશા પણ વિરલ જ માનીએ છીએ. જ્યાં અન્ય ઉપાય પ્રાપ્ત નથી ત્યાં પૂર્વે થયેલા જ્ઞાની-ધ્યાન-તપસ્વીસમાધિસ્થ મહાપુરુષોના ચારિત્રનું વારંવાર સ્મરણ કરી, તેમના પ્રત્યે લઘુત્વભાવ ધારણ કરીને તેમની સ્તુતિ કરી, તેમાંથી પ્રેરણા A-૫૮ : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001283
Book TitleSanskar Jivanvigyana ane Adhyatma
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2000
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy