SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મ ૫. જે પ્રમાણે વ્યાપારનું પ્રયોજન નફો છે, તે પ્રમાણે સ્વાધ્યાયનું પ્રયોજન આત્મશાંતિની પ્રાપ્તિ છે. બુદ્ધિબળ અને હૃદયબળ બંનેનો સાથે વિકાસ કરવાનો છે. જો માત્ર બુદ્ધિબળ જ વધારીશું તો હઠાગ્રહ, કુતર્ક, વિતંડાવાદ, ખંડનમંડન અને મારું તે જ સાચું” વગેરે ખામીઓ જીવનમાં આવ્યા વગર રહેશે નહીં. હૃદયબળ એટલે કે આત્મબળ વધારવા તરફ ખાસ લક્ષ આપવું પડશે. આ માટે મનની ખોટી વૃત્તિઓને રોકવી પડશે અને સગુણસંપન્નતાના નિયત કાર્યક્રમને અનુસરવાની સાથે ચિંતન-મનન અને એકાગ્રતાનો અભ્યાસ કરવો પડશે. સદ્ગુરુ કે શાસ્ત્રજ્ઞાનથી પ્રાપ્ત થયેલા ઉપદેશને પચાવવા માટે ઉપશમવૈરાગ્ય સહિત આત્મસ્મરણ અને આત્મસ્થિરતાનો અભ્યાસક્રમ આરાધવો પડશે. ૮. જ્યારે આ પ્રમાણેના અભ્યાસમાં સુસ્થિતપણું અને કુશળતા પ્રાપ્ત થશે ત્યારે જ આત્માનુભૂતિનો અપૂર્વ આફ્લાદ પ્રગટશે અને મૈત્રી, મધ્યસ્થતા, સમતા, ક્ષમા આદિ અનેક ઉત્તમોત્તમ ગુણોથી જીવન કૃતકૃત્ય થશે. ૯. વિચાર અને આચાર એમ જીવનના બે પક્ષ છે. બંને પક્ષોનો સમાંતર વિકાસ સાધવાનો છે, તો જ જીવનમાં સાચી પ્રગતિશીલતાથી પ્રસન્નતાનો અનુભવ થઈ શકશે. ૧૦. માત્ર શાસ્ત્રનો નહીં પણ તત્ત્વનો અભ્યાસ પણ સાથે સાથે - ૫૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001283
Book TitleSanskar Jivanvigyana ane Adhyatma
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2000
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy