SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ [ અધ્યાત્મ ) ભક્તના જીવનમાં બને અથવા યોગીના જીવનમાં નિર્વિકલ્પ સમાધિ દ્વારા પણ બને. આમ થવાથી તે વ્યક્તિના જીવનમાં જે એક અદ્ભુત અને અપૂર્વ પરિવર્તન આવે છે તેને જ આત્મજ્ઞાન | આત્મદર્શન | પરમાત્મદર્શન | સમાધિની પ્રાપ્તિ | મોહગ્રંથિનો ભેદ | આત્મભ્રાંતિનો નાશ | કે ઈશ્વરની કે સદ્ગુરુની કૃપા કહેવામાં આવે છે. આવી દશાને પ્રાપ્ત કરવા મુમુક્ષુએ અવશ્ય પ્રયત્ન કર્તવ્ય છે. * તસ્વનિર્ણય [હાથનોંધના આધારે) આ અમારા આત્માનો અનુભવ એમ સાક્ષી પૂરે છે કે જે કોઈ જીવ પરમાર્થ સુખની સ્પૃહાવાળો છે તે જો પોતાના સર્વસ્વના સમર્પણપૂર્વક તીવ્ર મુમુક્ષતા કેળવે તો અવશ્ય તેને સદેવ – સત્વગુરુ - સત્શાસ્ત્રની ઉપલબ્ધિ થશે અને માર્ગાનુસારીપણાને પામેલો તેવો તે ભવ્ય જીવ ભેદજ્ઞાનનો અભ્યાસ નિયમિતપણે જારી રાખતાં નિજાત્માની અનુભૂતિને પામશે. વળી આત્માનુભૂતિથી વિભૂષિત એવો તે જીવ તીવ્ર મુમુક્ષુતાને ધારી રહેતો થકો ક્રમે કરીને વિશેષ દર્શનવિશુદ્ધિ પામીને યથાશક્તિ યમ-નિયમ-સંયમને અંગીકાર કરીને એકદેશવ્રતધારી અથવા સકળ સંયમધારી થયો થકો પુનઃ પુનઃ સમાધિસુખને અનુભવશે; જે સુખ વાણીથી ન વર્ણવી શકાય તેવું હોવાથી અને જગતના કોઈ સુખને તેની ઉપમા ન આપી શકાય તેવું હોવાથી તેમાં જ નિમગ્ન થયેલો તે મહામુમુક્ષુ તેને જ મૌનપણે ભજે છે - પામે છે - અનુભવે છે - આસ્વાદે છે - વેદે છે. A- 3 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001283
Book TitleSanskar Jivanvigyana ane Adhyatma
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2000
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy