________________
અધ્યાત્મ
સૂર્યના પ્રકાશ સમાન છે. જેમાં સર્વ વસ્તુઓ નિઃશંકતાથી સ્પષ્ટપણે દેખી-સમજી શકાય છે.
જેમ જેમ આત્માર્થી પોતાની પાત્રતાને વધારતો જાય, જેમ જેમ ઉપાદેય, હેય અને શેય તત્ત્વોને યથાર્થપણે અવધારતો જાય, જેમ જેમ સ્વાધ્યાય – સત્સંગના બળથી આત્મવિચારની શક્તિને વધારતો જાય અને નિરંતર સ્વશક્તિને ગોપવ્યા વિના નિજસ્વરૂપને વિષે દૃષ્ટિ રાખતો જાય, તેમ તેમ અજ્ઞાનરૂપ મધ્યરાત્રિનો ઘોર અંધકાર વિલીન થતો જાય. મળસ્કાના સમયની પેઠે હો (પ્રાતઃકાળ) ફાટતો દેખાતો જાય અને તે જ સદ્ભવૃત્તિનું દૃઢ અવલંબન લેતાં સ્પષ્ટપણે જેમાં સર્વ વસ્તુ દેખાય છે તેવા સવારના પ્રકાશની માફક સ્પષ્ટ વસ્તુસ્વરૂપને સ્વસંવેદનસહિત પ્રકાશનું આત્મજ્ઞાન નિર્મળપણે ઉદય થાય. માટે આત્માર્થીએ એકાએક આત્માને પકડી લેવાની - સમજી લેવાની - લાયોપથમિક જ્ઞાનથી (બુદ્ધિથી) પામી જવાની ઇચ્છા રાખવી તે નહીં બનવા યોગ્ય છે. જેવો ક્રમ જ્ઞાનીઓએ કહ્યો છે અને પરમ પુરુષાર્થથી ઉપામ્યો છે તેવો ક્રમ ઉપાસવા નિરંતર ઉદ્યમવંત થવું એ જ શ્રેયને પ્રાપ્ત કરવાનો માર્ગ જાણીએ છીએ. * નિષ્કામ સેવાના ભાવો અને સાચી આધ્યાત્મિકતા
સેવા-સુશ્રુષા એટલે અન્યને તન-મન-ધન આદિથી સહાયક થવું; તેને સગવડતા રહે, દુઃખ દૂર થાય, શાતા ઊપજે, પીડા મટે, રોગાદિથી ઊપજેલી વેદના ઘટે - એ આદિ પ્રકારે પ્રવર્તવું – આ બધાનો સેવામાં સમાવેશ થાય છે.
આપણા મા-બાપ, દીકરા-દીકરી, પતિ-પત્ની કે અન્ય સ્વજનો
A-૪૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org