SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મ ૬. કાયક્લેશ : શારીરિક કષ્ટ સહન કરવાની ટેવ પાડવી તથા ખાસ કરીને ધ્યાન અવસ્થામાં સુખદુઃખનાં કારણોને સમભાવથી સહન કરી કાયા પ્રત્યેની માયા ઘટાડવી તેને ખરેખર કાયકલેશ નામનું તપ કહે છે. અંતરંગ તપના છ પ્રકાર : ૧. પ્રાયશ્ચિત્ત : પોતાના દોષોનું સદ્દગુરુ અથવા પરમાત્માની સાક્ષીએ કબૂલ કરવું અને તેવા દોષો ફરીથી ન થાય તેવો ઉદ્યમ કરવો તેને પ્રાયશ્ચિત કહે છે. ૨. વિનય : પૂજ્ય વ્યક્તિઓ અને પૂજ્ય વસ્તુઓ પ્રત્યેનો અંતરનો આદરભાવ-ભક્તિભાવ તે વિનય. ૩. વૈયાવૃત્ય : શારીરિક અસ્વસ્થતાવાળા શ્રી સાધુ મહારાજ કે બીજા મહાત્મા અને ધર્મનિષ્ઠ પુરુષોની સેવા-સુશ્રુષા કરવી તે વૈયાવૃત્ય. ૪. સ્વાધ્યાય : ઉત્તમ મહાત્માઓનાં ધર્મ-મોક્ષ નિર્દેશક વચનોનું વાંચવું, વિચારવું, લખવું, પૂછવું, રટણ કરવું કે ઉપદેશવું તે સ્વાધ્યાય. ધ્યાન ઃ ચિત્તને પરમાત્માના કે પુરુષોના ગુણોમાં કે ચારિત્ર્યમાં તન્મય કરવું તે ધ્યાન. તથારૂપ વિશિષ્ટ અભ્યાસથી ચિત્તવૃત્તિ શુદ્ધાત્મામાં સ્થિર થઈ જાય અને અતીન્દ્રિય આનંદ પ્રગટે તે ઉત્તમ ધ્યાન – નિર્વિકલ્પ સમાધિ. ૬. વ્યુત્સર્ગઃ શરીર,સ્વજન-કુટુંબાદિ, ધનધાન્ય, બંગલા, મોટર વગેરે બાહ્ય પદાર્થો તથા કામ-ક્રોધ-લોભ-અજ્ઞાન આદિ A. ૨૧ : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001283
Book TitleSanskar Jivanvigyana ane Adhyatma
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2000
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy