SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ ન જીવત-વિજ્ઞાન ૪. આ કાળે, આ ક્ષેત્રે તે સંપૂર્ણપણે પ્રાપ્ત નથી થતું. સ્વસ્થાન અપ્રમત્ત પ્રાપ્ત થઈ શકે છે, સાતિશય અપ્રમત્ત પ્રાપ્ત થઈ શકતું નથી. ૫. આત્યંતિક અતીન્દ્રિય આનંદનો અનુભવ હોય છે. ૬. મુનિપદની પરમાર્થપ્રાપ્તિના સમયે, ચઢતી વખતે આ પહેલું પ્રાપ્ત થાય છે. ત્યારબાદ પ્રમાદને લઈને, ત્યાંથી નીચે, ૬ઠ્ઠા ગુણસ્થાનમાં આવવું પડે છે / આવે છે. છબસ્થ જીવને સતતપણે ૪૭ મિનિટથી વધારે નિર્વિકલ્પ આત્મઅનુભવ ટકી શકતો નથી અને તેથી આ કાળમાં પૂર્ણ મોક્ષ થવા માટે ઓછામાં ઓછો વચ્ચે એક જન્મ લેવો પડે છે, એમ જિનાગમમાં કહ્યું છે. શ્રેણિ માંડવી એટલે સાતમા ગુણસ્થાનથી આગળ વધવું; નિર્વિકલ્પ સમાધિમાંથી નિર્બેજ સમાધિમાં જવું તે. • નવા કર્મબંધનો સંપૂર્ણ અભાવ ૧૨મા ગુણસ્થાને થાય છે. આત્માના લક્ષાધિપતિ તે સમ્યગૂદષ્ટિ, આત્માના કરોડપતિ તે સાચા શ્રાવક, આત્માના અબજોપતિ તે સાચા મુનીશ્વર અને આત્માના અનંતપતિ તે અરિહંત ભગવાન છે!! શૈલેશી અવસ્થા = અડોલ અવસ્થા. મનોયોગ, વચનયોગ, કાયયોગ અને શ્વાસોચ્છવાસ રૂંધી તે આત્મા સર્વથા નિષ્કપ બને છે. જૈન દર્શનમાં કહ્યું છે કે આવી સ્થિતિ શુકલધ્યાનના J. ૧૧૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001283
Book TitleSanskar Jivanvigyana ane Adhyatma
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2000
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy