SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ { જીવન-વિજ્ઞાન : ૧. પ્રકૃતિ : જે તે કર્મ, ફળ આપતી વખતે ક્યા પ્રકારનું કાર્ય કરશે તે કર્મની “પ્રકૃતિ વડે નક્કી થાય છે. જેમ કે, જ્ઞાનાવરણીય એ કર્મ પ્રકૃતિ છે, જેના વડે આત્માની જ્ઞાનશક્તિ આવરિત થાય છે. ૨. સ્થિતિ : આત્મા સાથે લાગેલું કર્મ કેટલા સમય સુધી આત્મા સાથે સંબંધિત રહેશે, તેને સ્થિતિ' કહેવાય છે. ૩. અનુભાગ : ફળ આપવાની શક્તિની તરતમતાને અનુભાગ કહેવાય છે. ૪. પ્રદેશ : કેટલા પરમાણુ આત્માને ચોંટ્યા, તે કર્મના જથ્થાને પ્રદેશ કહેવાય છે. સ્થિતિ અને અનુભાગબંધ કષાયાદિથી થાય છે; જ્યારે પ્રકૃતિ અને પ્રદેશબંધ યોગથી થાય છે. વર્ગણા એટલે દ્રવ્યકર્મો બનવાનું raw material. તેના આઠ પ્રકાર છે : (૧) ઔદારિક, (૨) વૈક્રિયક, (૩) આહારક, (૪) તૈજસ, (૫) ભાષા, (૬) શ્વાસોચ્છવાસ, (૭) મનોવર્ગણા, (૮) કામણવર્ગણા. આ બધી વર્ગણાઓમાં એકબીજાથી ઉત્તરોત્તર અનંત ગણા પરમાણુઓ હોય છે અને વધારે વધારે સૂક્ષ્મ હોય છે. • કર્મોનું સત્તામાં હોવું એટલે ફળ આપવાનું શરૂ કરે તે પહેલાંનો 4 - ૧૦૪n Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001283
Book TitleSanskar Jivanvigyana ane Adhyatma
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2000
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy