SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ન જીવત-વિજ્ઞાત શકાય ત્યારે દેવ-ગુરુ-ધર્મ અને સત્શાસ્ત્રોની પ્રભાવનામાં જો મુમુક્ષુ પ્રવર્તે તો, તેની પ્રવૃત્તિ જોકે સાક્ષાત્ આત્મધર્મમાં પ્રવેશ કરાવનાર નથી તો પણ કોઈ અપેક્ષાએ યોગ્ય છે. તેથી એ જ વિજ્ઞપ્તિ કે જ્યાં જ્યાં જે જે યોગ્ય લાગે ત્યાં ત્યાં તે તે પ્રકાર ભજ'; ક્રમે કરીને આરંભ પરિગ્રહને સંક્ષેપતો થકો આત્મભાનપૂર્વક, તીવ્ર પુરુષાર્થથી આત્મામાં વિશેષ વિશેષ વિશ્રાંતિ પામ; કારણ તે જ એક શાશ્વત સુખનો ઉપાય છે, અન્ય કોઈ ઉપાય જ્ઞાનીઓએ કહ્યો નથી. * આધ્યાત્મિક વચનોનું માહાભ્યા આત્માનંદમાં મગ્ન રહેતા જ્ઞાનીઓની કરુણામાંથી ઉદ્ભવેલા, તુચ્છ વિષયાનંદી જીવોની મોહજનિત દુઃખમય અવસ્થાને દૂર કરવામાં પરમનિમિત્તભૂત આ સત્ય વચનો જયવંત વર્તા! જેને પુનઃ પુનઃ વાંચતા, જેને પુનઃ પુનઃ વિચારતા અને જેનું ઊંડું મનન કરતાં, અનાદિથી ઉત્પન્ન થયેલી જીવની મોહદશા ક્રમે કરીને ક્ષીણ થઈ જ્ઞાનદશા ઉત્પન્ન થવા યોગ્ય છે અને જે જ્ઞાનનો આનંદ સાથે અવિનાભાવી સંબંધ હોવાથી, જે વડે જીવની આનંદદશા પ્રગટ થવા યોગ્ય છે તે જ્ઞાનીના વચનોનું માહાસ્ય વાણીથી વ્યક્ત કરવાને કોણ સમર્થ છે? અનિર્વચનીય નિત્યાનંદના દાતા તે તે સત્વચનો ખરેખર અનિર્વચનીય માહાભ્યવાળા જ જાણીએ છીએ. કક અનુભવજ્ઞાનનો મહિમા (હાથનોંધના આધારે-સ્વગત) ૧. આત્માના જાણવા માત્રથી સંતુષ્ટ ન થાઓ. ૨. આત્મા માત્ર સ્વાનુભવગમ્ય છે. તેથી તેની પ્રસિદ્ધિ અર્થે મુમુક્ષુએ અંતર્મુખ થઈ આત્માનું, આત્માના ગુણોનું ચિંતવન i J-૫૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001283
Book TitleSanskar Jivanvigyana ane Adhyatma
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2000
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy