SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ જીવત-વિજ્ઞાન ૭. આ દુનિયામાં પોતાને જૈનધર્માવલંબી કહેનાર મનુષ્યોની સંખ્યા હાલમાં લગભગ એક કરોડની છે. ૮. આ સમાજના મનુષ્યો મોટે ભાગે વ્યાપારી વર્ગના છે અને તેથી તેમની જીવનદૃષ્ટિ મુખ્યપણે અર્થપ્રધાન અને કૌટુંબિકસામાજિક જોવામાં આવે છે. ૯. આ ધર્મના વર્તમાન અગ્રેસરો, તેને તપ-ત્યાગપ્રધાન માને છે અને મનાવે છે; જે માત્ર આંશિક સત્ય છે. ૧૦. તેનું આ મૂળ-અસલી પારમાર્થિક સ્વરૂપ તેના સામાન્ય આરાધકોમાં તો નથી; પણ તેના ધર્મનેતાઓ, ઉપદેશકો અને સમાજમાન્ય અગ્રેસરોમાં પણ તે લુપ્તપ્રાયઃ થયેલું જોવામાં આવે છે. ૧૧. આવી ઉપરોક્ત દુઃખદ, શોચનીય અને દિશાશૂન્ય અવસ્થા થઈ જવાના મુખ્ય કારણો નીચે પ્રમાણે સમજી શકાય છે ઃ (અ) પૂર્વભવોની આરાધનાની ન્યૂનતા (બ) બ્રાહ્મણ અને ક્ષત્રિય જ્ઞાતિઓના મનુષ્યોનું તે ધર્મમાં જૂજપણું થઈ ગયું હોવાને લીધે, તેને સાચા સ્વરૂપને સમજવા માટે જરૂરી એવું વિદ્યાવ્યાસંગીપણું, સંતોષીસ્વભાવ અને ઉચ્ચકક્ષાના સાહસ-શૌર્ય-પરાક્રમની અત્યંત ઓછપ. (ક) શ્રાવકો અને સાધુઓમાં નાની નાની બાબતોમાં મતભેદો. (ડ) તત્ત્વજ્ઞાનની ન્યૂનતાને લીધે શરીર, વાણી અને ઉપકરણોને પોતાના માનીને તેમાં જ પરમાર્થ છે તેમ માનવારૂપ મોટી ભૂલ. (ક્રિયાજડત્વ) Jain Education International J-૫૧ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001283
Book TitleSanskar Jivanvigyana ane Adhyatma
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2000
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy