SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ { જીવત-વિજ્ઞાન ) અલ્પપુણ્યવાન જીવો ચાહતા નથી. કિંચિત્ પૂર્વપુણ્યોપાર્જિત આ ક્ષણભંગુર ધનવૈભવને પામી ઇન્દ્રિયસુખમાં લુબ્ધ થયેલા તેઓ પોતાને તેનાથી ધન્ય માને છે. પરંતુ તે બધું અશરણમય છે. કાળનો હાથ લાગતા વા પુણ્યનો ઉદય ફરતાં ચાલ્યું જવા યોગ્ય છે, એમ હે જીવ! તું નિર્ધાર કરજે. સદાય તારી સાથે રહેનાર એવો તારો એક મિત્ર તો ધર્મ જ છે. સર્વ ઉપાયે તેને ધારવામાં જ તારું કલ્યાણ છે એમ સમજી અવિલંબપૂર્વક તેનો ઉગ્ર આશ્રય કર. - પરમાર્થપ્રેરક વ્યવહારધર્મનો બોધ (હાથનોંધના આધારે, સ્વગત સંવાદરૂપ) તમો ધર્મરૂપ થઈ રહ્યા છો તે જાણી અને આનંદ પામીએ છીએ. તે તમોને કેવી રીતે ખબર પડી? કેમ વળી? તમો મંદિરે જાઓ છો, ઉપવાસાદિમાં પ્રવર્તે , સાધુ સંતો પાસે જાઓ છો અને દાનાદિમાં પ્રવર્તે છો, એટલે અમે જાણીએ છીએ કે તમો ધર્મરૂપ થયા છો. આટલાથી જ અમો ધર્મરૂપ થઈ રહ્યા છીએ તેમ તમો માનો છો કે તેથી કાંઈ વિશેષ? ' તેથી વિશેષ વળી બીજું શું? એટલાથી જ. તો તમારી દૃષ્ટિ યથાર્થ નથી. અમે તો તેથી આગળની અને તેના સહકારીપણાથી પ્રાપ્ત થવા યોગ્ય આત્મસ્વરૂપની શ્રદ્ધા – તેનું જ સ્મરણ, તેનો જ લક્ષ, તેમાં જ રૂચિ, તેમાં જ તન્મયતા, તેમાં જ એકાગ્રતા, તેમાં જ ચિત્તવૃત્તિના જોડાણનો પ્રયત્ન, તેમાં જ નિષ્ઠા, તેમાં જે પરમપ્રેમ, તેમાં જ અનન્ય ભક્તિ-ને ધર્મનું J-૪૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001283
Book TitleSanskar Jivanvigyana ane Adhyatma
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2000
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy