SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ (જીવન-વિજ્ઞાન - નથી. જ્યાં જ્યાં મોક્ષમાર્ગમાં આંતર્બાહ્ય રીતે ઉપયોગી એવા સગુણો વર્તે ત્યાં ત્યાં તે તે ગુણોને અંગીકાર કરવાથી પોતાનો આત્મા, ગુણ પ્રકર્ષતાને પામે. અન્ય મહાત્માઓના ગુણો જોઈ પ્રમોદ ન પામવું અને તેનો યથાયોગ્યપણે સ્વીકાર ન કરવો, તે સાધકની સંનિષ્ઠામાં શંકાપદને ઉપજાવનાર છે. પૂર્ણપદનો લક્ષ : વર્તમાનમાં આ ક્ષેત્રે, મહાજ્ઞાનીઓનો પ્રાય: અભાવ છે. આવા વખતે પોતાના આત્માને વિશે વિશિષ્ટ ગુણોનું પ્રકૃષ્ટપણે પ્રકાશવું થાય તો પણ પોતે તેમાં સંતુષ્ટ ન થઈ જઈ, પૂર્ણ એવું જે સિદ્ધપદ તેને વિષે જ સંનિષ્ઠાપૂર્વક આરાધકપણે વર્તવું એ સાધક જીવને આ લોક અને પરલોકમાં અભ્યદયનું કારણ થાય છે. * ધર્મને ધારણ કર.... (હાથનોંધના આધારે) શાસ્ત્રગમ્ય, જ્ઞાનીવચનગમ્ય અને અનુભવગમ્ય એવું કાળનું દુષમપણે વર્તી રહ્યું છે. આમ હોવા છતાં પણ, અવળા વહેણ સામે જેવી રીતે કુશળ તરવૈયો બળ વડે કે કળા વડે યથાશક્તિ તરે તેવી રીતે ઉગ્રપુરુષાર્થી મુમુક્ષુઓ આ કાળને વિષે પણ યથાશક્તિ મોક્ષમાર્ગમાં પ્રવર્તન કરી ઓછેવત્તે અંશે નિજશક્તિ અનુસાર આત્મવૈભવને પ્રગટ કરી અતીન્દ્રિય આનંદને અનુભવે છે." અન્ય જીવો પ્રત્યે દૃષ્ટિ કરતા, જ્ઞાનીને પણ કરૂણા સહિત કિંચિત્ દુઃખનો અનુભવ થાય તેવું છે. ધર્મ જેનો પ્રાણ છે એવી આ ભૂમિ પણ આંગ્લદેશોના અંધ અનુકરણ વડે દોરાતી થકી પોતાના મૂળ નિધાનોને વિસરી રહી છે. તત્ત્વનું શ્રવણ દુર્લભ છે. સમર્થ ગુરુઓનું લગભગ અવિદ્યમાનપણું છે. પવિત્ર અને ઉત્કૃષ્ટ એવો જે ધર્મ તેનું શ્રવણ કરવાને પણ J-૪s Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001283
Book TitleSanskar Jivanvigyana ane Adhyatma
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2000
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy