SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ જીવત-વિજ્ઞાન મરણના પ્રકારો જગતના જીવોને બાલ-મરણ હોય છે. મુનિને પંડિત-મરણ હોય છે. ભગવાનને પંડિત પંડિત મરણ કહેવાય છે. હકીકતમાં ભગવાનને નિર્વાણગમન હોય છે. ભગવાનની વાણી ખરેખર સમજવા માટે વિશેષ દૃષ્ટિ અને સૂક્ષ્મ પ્રજ્ઞા જોઈએ. આ બન્ને પ્રાપ્ત કરવા માટે સત્સંગની સમીચીન ઉપાસના દ્વારા પાયારૂપ સદ્ગુણો અને ગુરુગમની આવશ્યક્તા છે. ‘ઉપચાર' - એ દ્વારા થતું કથન મુખ્યપણે, લોકપ્રણાલિકાને અનુસરીને કરવામાં આવે છે. ♦ શુષ્કજ્ઞાની, કોરા પોથીપંડિત (નિશ્ચયાભાસી) કેવા હોય છે? ૧. પોતાના આત્માને સર્વથા સિદ્ધ સમાન માને છે. ૨. કેવળજ્ઞાન આદિનો પોતાનામાં, વર્તમાનમાં સદ્ભાવ માને છે! ૩. રાગાદિની ઉત્પત્તિમાં પરદ્રવ્યનું સર્વથા અંકિચિત્ક૨૫ણું માને છે. ૪. કર્મોનો બંધ-સંબંધ (કર્તૃત્વ, કારણપણું) હોવા છતાં આત્માને નિબંધ માને છે. ૫. પોતાના અભિપ્રાયથી, નિશ્ચયનયની મુખ્યતાથી જે કથન કર્યું હોય તેને જ માત્ર ગ્રહણ કરીને, પરમાર્થપ્રેરક Jain Education International ■ J-36■ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001283
Book TitleSanskar Jivanvigyana ane Adhyatma
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2000
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Ethics
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy