SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ચિંતવન – ધ્યાન ४० (બ) સ્મરણ અથવા ચિંતવન ઃ જે મંત્રનો જાપ કરતા હોઈએ તેના અર્થનું ચિંતન કરવું અથવા જે પ્રભુનું નામ લેતા હોઈએ તેમના સ્વરૂપનું મૂર્તિનું કે ગુણોનું ચિંતન કરવું. શાંત, પવિત્ર, સૌમ્ય, સમાધિના આનંદમાં મગ્ન પરમાત્માનું ચિંતવન કરવાથી આપણામાં પણ તેવા ભાવોનું સ્કુરણ થાય છે, કારણ કે આત્મા, ભાવપૂર્વક જેનું જેનું ચિંતન કરે તેના તેના જેવો તે થાય છે. જોકે આ અભ્યાસની સિદ્ધિ માટે ખૂબ વિવેક, પરિશ્રમ, ધીરજ,વૈરાગ્ય, સહનશીલતા અડગ નિશ્ચયબળ, હિંમત, ખંત, માર્ગદર્શક પ્રેરક ગુરુ, આત્મવિશ્વાસ અને અભ્યાસની જરૂર પડે છે. નામજપ અને સ્મરણ બાબત મહાપુરુષોએ આપણને નીચે પ્રમાણે પ્રેરણા આપી છે : (દોહરા) (૧) ઘડી ઘડી પલ પલ સદા, પ્રભુ સ્મરણકો ચાવ; નરભવ સફલો જો કરે, દાન, શીલ, તપ ભાવ. શ્રી બૃહદ્ આલોચના-૨૬ : લાલા રણજિતસિંહજી (૨) શુદ્ધ સચ્ચિદાનંદસ્વરૂપ અનંત સિદ્ધની ભક્તિથી તેમ જ સર્વદૂષણરહિત, કર્મમલહીન, મુક્ત, નિરાગી, સકળભયરહિત, સર્વજ્ઞ, સર્વદર્શી જિનેશ્વર ભગવાનની ભકિતથી આત્મશક્તિ પ્રકાશ પામે છે તલવાર હાથમાં લેવાથી જેમ શૌર્ય અને ભાંગથી નશો ઉત્પન્ન થાય છે, તેમ એ ગુણચિંતવનથી આત્મા સ્વરૂપાનંદની શ્રેણીએ ચઢતો જાય છે. દર્પણ હાથમાં લેતાં જેમ મુખાકૃતિનું ભાન થાય છે તેમ સિદ્ધ કે જિનેશ્વરસ્વરૂપના ચિંતવનરૂપ દર્પણથી આત્મસ્વરૂપનું ભાન થાય છે. – શ્રી મોક્ષમાળા-શિક્ષાપાઠ : ૧૩ : શ્રીમદ્ રાજચન્દ્ર (૩) નિરંતર ઉદાસીનતાનો કમ સેવવો. સપુરુષની ભક્તિ પ્રત્યે લીન થવું, સપુરુષોનાં ચરિત્રોનું સ્મરણ કરવું; સત્યરુષોના લક્ષણનું ચિંતન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001282
Book TitleBhaktimargni Aaradhana
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2005
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy