SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩ ભક્તિમાર્ગની આરાધના સભ્યોમાં, નગરના મોટા પુરુષોમાં, નગરના સર્વ લોકોમાં, રાજ્યમાં, દેશમાં, દુનિયામાં અને સમસ્ત વિશ્વમાં સર્વત્ર શાંતિ થાઓ, શાંતિ થાઓ. પ્રૌઢાવસ્થામાં ધર્મજીવનનું આયોજન : બીજો એક અગત્યનો મુદ્દો જે આ જમાનાને અનુસરીને વિશેષ વિચારણા માગી લે છે તે સેવા-સમર્પણતાનો ભાવ. જીવનના વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ શક્તિઓ ધરાવનારા મનુષ્યો, મુખ્યપણે, આપણા દેશમાં, શહેરોમાં વસે છે. જો તેઓ ખરેખર વિવેકી હોય તો પચાસ વર્ષની ઉંમરે પહોંચતાં કઈ રીતે સમાજના આધ્યાત્મિક વિકાસમાં તેઓ ભાગ લઈ શકે તે વિશે તેમણે ચોક્કસ નિર્ણય પર આવવું જોઈએ. વિવિકી ધાર્મિક પુરુષે પચાસ વર્ષની ઉંમર પછી ગૃહસ્થ-વ્યવસ્થાની મમતા ઓછી કરવી જોઈએ. આ માટે પોતાના વતનની આજુબાજુ કોઈ સારાં ધર્મસ્થાનકો કે તીર્થો હોય તો ત્યાં વારંવાર જવું જોઈએ, સત્સંગાદિ કરવા જોઈએ અને થોડા સમયમાં તીર્થની સેવા માટે, મુમુક્ષુસાધર્મીઓની અને યાત્રિકોની સેવા માટે પોતાના જીવનનો મોટો ભાગ આવાં તીર્થમાં ગાળવો જોઈએ, જેથી સેવા-પૂજા-વન્દનાની આરાધનામાં પ્રવર્તવાનું તેનાથી સ્વયં બનતું જશે, તે નીચે પ્રમાણે : (૧) તીર્થમાં રહેવાથી શાંત, પવિત્ર વાતાવરણનો તેને લાભ મળશે અને સાત્ત્વિક દિનચર્યાનું સહેજે સહેજે પાલન થશે. (૨) ત્યાં આવતા સંત-મહાત્માઓ-મુનિજની કે બીજા મુમુક્ષુ યાત્રિકોના સત્સંગનો, સેવા-સુશ્રુષાનો પણ તેને લાભ મળી શકશે. (૩) ભગવાનની સેવા-પૂજા કરવાનો અવસર પ્રાપ્ત થશે, પગારદાર-પૂજારીઓ પર ઓછો આધાર રાખવો પડશે અને એ રીતે તીર્થની સેવાનો લાભ મળશે, જેથી તીર્થની વ્યવસ્થા કરકસરયુક્ત, સુઆયોજિત અને સુદઢપણે થઈ શકશે. 70 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001282
Book TitleBhaktimargni Aaradhana
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2005
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy