________________
૧૬૩
ભક્તિમાર્ગની આરાધના
(૨૮) (રાગ મિશ્ર માઢ-તાલ હીંચ—કેરવા)
શાંતિ પમાડે તેને સંત કહીએ
તેના દાસના દાસ થઈ રહીએ
તેના ભક્તને આધીન થઈ રહીએ....શાંતિ
વિદ્યાનું મૂળ જ્યારે પૂરું ન જાણ્યું
ત્યારે પંડ્યાનો માર શીદ ખાઈએ.... શાંતિ લીધો વોળાવો ને ચોર જ્યારે લૂંટે
ત્યારે તેની સંગાતે શીદ જઈએ.... શાંતિ કલ્પવૃક્ષ સેવ્યું ને દારિદ્ર ઊભું
ત્યારે તેની છાયાએ શીદ જઈએ.... શાંતિ
રાજાની ચાકરીને ભૂખ નહિ ભાંગી ત્યારે તેના ભાર શીદને વહીએ.... શાંતિ
કર્યા ગુરુ ને ભૂલ નવી ભાગી
ત્યારે તેના ચેલા શીદ થઈએ.....
Jain Education International
શાંતિ
ગોળી ખાધી ને રોગ જ્યારે ઊભો
ત્યારે તેની ગોળી શીદ ખાઈએ.... શાંતિ
નામ અનામ મારા ગુરુએ બતાવ્યું
શાંતિ
તે તો રાખ્યું છે મારે હૈયે..... સર્વના માંહી છે ને સર્વથી ન્યારા બાપુ
એવા ભક્તને નિત્ય ચાહીએ....
શાંતિ
For Private & Personal Use Only
www.jainelibrary.org