SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ભક્તિમાર્ગની આરાધના અવધાનશક્તિ : સોળ વર્ષની વયથી તેઓમાં અવધાન કરવાની શક્તિ પ્રગટી હતી અને ૮, ૧૨, ૧૬ પર અને છેલ્લે ૧૦૦ અવધાન કરીને શતાવધાની તરીકેની તેઓની ખ્યાતિ સમસ્ત ભારતમાં વ્યાપ્ત થઈ ગઈ હતી. પરંતુ આ શક્તિને આત્મકલ્યાણની સાધનામાં વિઘ્નરૂપ જાણીને તેઓએ તેનો ત્યાગ કર્યો હતો. કેવી અલૌકિક નિઃસ્પૃહતા ! આવી તીવ્ર સ્મરણશક્તિ ઉપરાંત તેઓમાં અતીન્દ્રિય સ્પર્શશક્તિ અને રસાસ્વાદશક્તિ પણ પ્રગટી હતી જેથી જોયા વગર, હાથથી જ સ્પર્શ દ્વારા પુસ્તકને ઓળખી લેતા અને રસોઈનો સ્વાદ ચાખ્યા વિના બતાવી દેતા. ૧૨૯ વિ.સં. ૧૯૪૪માં તેઓનો ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ થયો હતો અને પછીનાં બે વર્ષોમાં તેઓનું અંતરમંથન વધતું જતું હતું. આ સમયે તેઓ પ્રકાશે છે : (દોહરો) લઘુવયથી અદ્ભુત થયો, તત્ત્વજ્ઞાનનો બોધ; એ જ સૂચવે એમ કે ગતિ-આગતિ કાં શોધ ? જે સંસ્કાર થવો ઘટે, અતિ અભ્યાસે કાંય; વિના પરિશ્રમ તે થયો, ભવશંકા શી ત્યાંય ? (ચોપાઈ) જહાં રાગ અને વળી દ્વેષ, તહાં સર્વદા માનો કલેશ, ઉદાસીનતાનો જ્યાં વાસ, સકળ દુઃખનો છે ત્યાં નાશ. ‘કુટુંબરૂપી કાજળની કોટડીના વાસથી સંસાર વધે છે. ગમે તેટલી તેની સુધારણા કરશો તોપણ એકાંતથી જેટલો સંસારક્ષય થવાનો છે, તેનો સોમો હિસ્સો પણ તે કાજળગૃહમાં રહેવાથી થવાનો નથી.' વિ.સં. ૧૯૪૭માં તેઓને શુદ્ધ આત્મજ્ઞાનનો ઉદય થયો હતો. યથા --- Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001282
Book TitleBhaktimargni Aaradhana
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2005
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy