SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ સંત-ભક્તોનાં ચરિત્રો [૧૪] પરમ તત્ત્વજ્ઞ શ્રીમદ્ રાજચન્દ્રજી વીસમી શતાબ્દીમાં આપણા દેશમાં થયેલા ઉચ્ચ કોટિના સંતોની પહેલી હરોળમાં જેઓનું સ્થાન છે તેવા, જ્ઞાન-ભક્તિ-વૈરાગ્યની પરમ પવિત્ર ત્રિવેણીના સંગમરૂપ શ્રીમદ્ રાજચન્દ્રજી એક વિશિષ્ટ અને અલૌકિક વ્યક્તિત્વના ધારક મહાપુરુષ થઈ ગયા. ૧૨૮ જીવનપરિચય : તેઓશ્રીનો જન્મ સૌરાષ્ટ્ર પ્રદેશના મોરબી તાલુકાના વવાણિયા ગામે વિ.સં. ૧૯૨૪ના કાર્તિક સુદ પૂનમને દિવસે થયો હતો, જે દિવસે ભગવાન સંભવનાથનો અને શ્રીમદ્ હેમચન્દ્રાચાર્યજીનો પણ જન્મદિવસ આવે છે. તેમના પિતાશ્રીનું નામ રવજીભાઈ અને માતાનું નામ દેવાબા હતું. નાનપણથી જ તેમનામાં દાદા તરફથી વૈષ્ણવધર્મના અને માતા તરફથી જૈનધર્મના સંસ્કારોનું સિંચન થયું હતું. જાતિસ્મરણજ્ઞાન : તેમની બુદ્ધિશક્તિ અને સ્મૃતિ બાળપણથી જ ખીલેલી હતી અને એક જ વાર પાઠ કરવાથી તેઓની સ્મૃતિમાં તે રહી જતો. સાત વર્ષની વયે વિ.સં. ૧૯૩૧માં, તેમના એક સ્વજન શ્રી અમીચંદજી સર્પદંશથી મૃત્યુ પામ્યા. તેમના અગ્નિસંસ્કારના દર્શનથી શ્રીમદ્જીને જાતિસ્મરણજ્ઞાન થયું હતું અને ક્રમે કરીને તેમની જ્ઞાનશક્તિ વિશેષ ખીલી હતી. આઠ વર્ષની ઉંમરથી તેઓ કવિતા બનાવતા. દસ વર્ષની વયથી તેઓએ જૈનધર્મનાં પ્રતિક્રમણાદિ સૂત્રોને અવલોક્યાં હતાં અને તેમાં કહેલી દયા અને મૈત્રીથી તેઓ ખૂબ પ્રભાવિત થયા હતાં આ સમય દરમ્યાન ઉચ્ચ કક્ષાના સ્વતંત્ર લેખો અને ઉપયોગી નિબંધો લખવાની શક્તિ તેમણે સંપાદન કરી લીધી હતી. પંદર વર્ષની અવસ્થા પ્રાપ્ત કરતા સુધીમાં તો તેમણે પોતાના અધ્યયન દ્વારા અનેક વિષયોનું વિશાળ જ્ઞાન પ્રાપ્ત કરી લીધું હતું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001282
Book TitleBhaktimargni Aaradhana
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2005
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy