SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ સંત-ભક્તોનાં ચરિત્રો મીરાંબાઈનાં પદો : મીરાંબાઈએ ભારતના અનેક પ્રાંતોમાં વિહાર કર્યો હતો. તેમનાં પદો રાજસ્થાની, ગુજરાતી, હિંદી અને વ્રજભાષામાં મળી આવે છે. તેમાંના ઘણા પદો પ્રક્ષિપ્ત પણ ગણવામાં આવે છે, એટલે કે અન્યનાં રચેલાં તેમના નામે ચઢાવી દેવામાં આવ્યાં છે. મીરાં જન્મજાત કવયિત્રી છે. તેમની કવિતામાં રહેલી વેધક શક્તિનું કારણ એ છે કે તેનું કાવ્ય તે તેમની અંતરંગ પ્રેમ ઊર્મિનું સહજપણે પ્રવહેલું શબ્દ-વાહન છે. તેમાં પ્રભુ-મિલનનો તલસાટ છે, સરસતા છે, સાહજિક્તા છે, વિરહીપણું છે, દાસત્વભાવ છે, ગુરુભક્તિ છે અને આત્યંતિક સમર્પણતા હોવાને લીધે પ્રસન્નતા પણ છે. તેમાં રહેલી ગેયતા અને લયબદ્ધતા તેને લોકપ્રિય અને લોકભોગ્ય બનાવે છે. વર્તમાનકાળમાં તેમના પદોનો પ્રચારપ્રસાર કરવાનું મુખ્ય શ્રેય પ્રસિદ્ધ બંગાળી લેખક શ્રી દિલીપકુમાર રૉયને ફાળે જાય છે. દિલ્હીના પ્રસિદ્ધ ‘બિરલા મંદિર'માં પણ મીરાંબાઈનાં થોડા પદો ‘સંતવાણી'ના વિભાગમાં ભીંત પર લખવામાં આવ્યાં છે. હવે આપણે મીરાંબાઈનાં થોડા પદો જોઈએ : (૧) (૨) સતગુરુ ઓખદ ઐસી દીન્હી, ઝુમ રુમ ભઈ ચઈના,૩ સતગુરુ જૈસા વૈદ ન કોઈ પૂછો વેદ પુરાના. (રાગ તિલકકામોદ) ૧૧૬ ઘડી એક નહિ આવડે, તુમ દરસણ બિન મોય; તુમ હો મેરે પ્રાણજી, કા સૂં જીવન હોય... પંથ નિહારૂં ડગર1 બુહારૂં, ઊભી મારગ જોય; મીરાં કે પ્રભુ ! કબ રે મિલોગે ? તુમ મિલિયાં સુખ હોય. (૩) પાયોજી મૈને રામરતન ધન પાયો. ॥ ટેક ॥ વસ્તુ અમોલિક દી મેરે સતગુરુ ૧. રસ્તો. ૨. ઔષઘસ દવા ૩. શાંતિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001282
Book TitleBhaktimargni Aaradhana
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2005
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy