SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ “હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. પ્રાર્થના ૫૨ છો તે દ્વારા હું મારી પરીક્ષા કરું છું. મારી સમતાની કસોટી ક૨વા બદલ હું તમારો આભાર માનું છું !!’ શ્રી યશોવિજયજી મહારાજ રચિત શ્રી મુનિસુવ્રતસ્વામી ભગવાનનું સ્તવન છે, “નિયતિ હિત દાન સન્મુખ હુયે, સ્વપુણ્યોદય સાથે; યશ કહે સાહિબે મુક્તિનું, કરિઉં તિલક નિજ હાથે; આજ સફળ દિન મુજ તણો, મુનિસુવ્રત દીઠા.’ ભગવાને મુક્તિનું તિલક કર્યું. કોણે કર્યું ? મુનિસુવ્રત સ્વામીએ. કોને કર્યું ? યશોવિજયજી મહારાજને !! હે ભગવાન ! ‘તું મારો છે’ એમ તમે કહો. ‘હું તને નોકરીએ રાખું છું.' એટલું આપ કહો તો મારું જીવન ધન્ય બની જાય. તમે જે કહેશો તે કામ કરીશ. અને બહાર compoundમાં પડયો રહીશ. વધેલો રોટલો અથવા વધેલી ખીચડી મને આપજો ! પગાર મને કાંઇ જોઇતો નથી. પણ આપની કૃપા મારે જોઇએ છીએ. આપણે શું વિચારીએ છીએ ? “અમે તો નાગર બ્રાહ્મણ, અમે તો સિસોદિયા રજપૂત, અમે દશા શ્રીમાળી વણિક, અમે તો એવું બધું કામ ન કરીએ. તમે ભગવાનને ઘેર નોકરી કરો. અમે આવું કાંઇ કરીએ નહિ.” પરંતુ મીરાબાઈ શું કહે છે? “ચાકર રહયૂં, બાગ લગારૂં, નિત ઉઠ દરસન પારૂં, વૃંદાવનકી કુંજ ગલિનમેં, ગોવિંદ લીલા ગારૂં; મને ચાકર રાખોજી, ગિરધારી લાલા ! ચાકર રાખોજી.’' તારા અંતરમાં જે દિવસે પરમાત્મા પ્રત્યે પ્રેમ જાગશે, અહોભાવ જાગશે તે દિવસે તારા દિલના કબાટનું બારણું ખુલશે, ત્યાં સુધી તારા જીવનમાં ઘોર અંધારી રાત્રિ છે, ભલે તું કરોડપતિ છો, અબજપતિ છો, તારા સાત દીકરા છે અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001279
Book TitlePrarthana
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherSadguru Bhakti Swadhyay Mandal Ahmedabad
Publication Year2006
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy