SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૮. ઉપસંહાર bunits Kartalas mont “હું આત્મા છું, આપનો સેવક છું, “જેમ શરીર માટે ભોજન જરૂરી છે, બાળક માટે માતા જરૂરી છે, તેમ માત્ર આધ્યાત્મિક વિકાસ માટે જ નહીં પરંતુ સૌનો મિત્રછું.” રોજબરોજના જીવનના સંઘર્ષોથી ઉપર ઊઠવા માટે, નિર્ભય થવા માટે, મનની શાંતિ માટે અને જીવનસંગ્રામમાં પ્રેરણા, મનોબળ અને નિશ્ચિતતાની પ્રાપ્તિ માટે (Tension અને Worries ઘટાડવા માટે) મનુષ્યને પ્રાર્થનાની આવશ્યકતા છે.’’ Jain Education International 41 "ફ્રેન્ચ -14/1 હવે Public, સંતને કહે છે, “સાહેબ ! તમારે કંઇ ધંધો નહિ, તમે બાવા એટલે તમારે શું ? અમને તો એક મિનિટનો સમય નથી અને તમે કહો છો કે પ્રાર્થના કરો !' ‘હે ભાઇ ! જો તારે દરરોજ જીવનમાં કંઇને કંઇ સમસ્યા ઊભી થાય છે ને ! તો એનાથી ઉપર ઉઠવા માટે પ્રાર્થના જરૂરી છે.’ મનુષ્યોને જુદા જુદા પ્રકારના ડર લાગે છે, (૧) હમણાં મારે વેપાર-ધંધા બહુ વધી ગયા છે એટલે મને Income Tax વાળાની બહુ બીક લાગે, (૨) મને Sales Tax વાળાની બીક લાગે. બીજી અનેક વસ્તુની બીક લાગે છે. ‘આજકાલ રોગ બહુ વધી ગયા છે ને ! એક ભાઇને કેન્સર થયું છે. મને કેન્સર થશે ? સાહેબ ! ખરેખર, ડર બહુ લાગે છે.' આવા પ્રકારના જુદા જુદા ડરથી નિર્ભય થવા માટે પ્રાર્થના જરૂરી છે. ‘નિર્ભય કેવી રીતે થવાય ?’ ‘મમ્મીના (પરમાત્માના) ખોળામાં બેસી જઇએ તો.’ ‘પ્રાર્થના એટલે શું ?’ ‘આપણે મમ્મીના ખોળામાં બેસી જવાનું.' “હું પ્રભુનો, પ્રભુ છે મમ રક્ષક, એહ ભરોસો જાય નહિ; જે પ્રભુ કરશે તે મમ હિતનું, એ નિશ્ચય બદલાય નહિ.' નિર્ભય થવા માટે અને મનની શાંતિ માટે પણ પ્રાર્થના જરૂરી છે. આજકાલ તનાવ (ટેન્શન) બહુ વધી જાય છે ને ? તનાવ બહુ વધી જાય એટલે જ્યારે જુઓ ત્યારે લોકો અપસેટ For Private & Personal Use Only પ્રાર્થના ૧૨૫ www.jainelibrary.org
SR No.001279
Book TitlePrarthana
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherSadguru Bhakti Swadhyay Mandal Ahmedabad
Publication Year2006
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy