SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ પ૬ જૈનદર્શનમાં સમ્યગ્દર્શન મતિજ્ઞાન કેવળજ્ઞાન નિયતિવાદનો અસ્વીકાર કર્યો છે. કેટલાક કહેશે કે જૈન દર્શન પણ કાર્યની કારણસામગ્રીમાં નિયતિનો સ્વીકાર કરે છે જ. હા, પરંતુ આ નિયતિ આંશિક છે. અહીં નિયતિનો અર્થ છે વ્યવસ્થા. વિશ્વમાં અંધાધૂંધી (chaos) નથી પણ વ્યવસ્થા છે, જેને તર્કશાસ્ત્રમાં uniformity of Nature કહેવામાં આવે છે. પ્રકૃતિના નિયમો (laws of Nature) અનુસાર જગતમાં ઘટનાઓ ઘટે છે. અને આ નિયમોમાં કાર્યકારણનો નિયમ મુખ્ય છે. ગમે તેમાંથી ગમે તે ઉત્પન્ન થતું નથી પણ અમુકમાંથી જ અમુક ઉત્પન્ન થાય છે. આ વ્યવસ્થા છે, uniformity છે. પરંતુ જગતની બધી ઘટનાઓ ક્યાં અને ક્યારે થશે તે આત્યંતિકપણે નિયત નથી. સર્વજ્ઞત્વ તો આવી આત્યંતિક નિયતિ સ્વીકાર્યા વિના ઘટતું જ નથી. જ્ઞાનનું આનન્ય સ્વતઃ શેયાનજ્યનિરપેક્ષ જૈનો સર્વજ્ઞત્વને અનન્તજ્ઞાન પણ ગણે છે, અને નિરાવરણજ્ઞાન પણ ગણે છે. નિરાવરણ જ્ઞાન સ્વયં સ્વતઃ અનન્ત છે. તેનું આનન્ય જ્ઞયોના વિષયોના) આનન્ય ઉપર નિર્ભર નથી. વળી, પતંજલિએ પોતાના યોગસૂત્રમાં એક વિચારણીય વાત કહી છે. તે કહે છે કે બધા જ શેય વિષયોને ભેગા કરો તો પણ જ્ઞાનના આનન્યની સરખામણીમાં તે અલ્પ છે. તલ સર્વાવરમાપતી જ્ઞાની માન્યત્ રેવન્યમ્ ! (યોગસૂત્ર ૪. ૩૧). તાત્પર્ય એ કે ત્રિલોકવર્તી અને ત્રિકાલવર્તી સઘળા શેયોને ભેગા કરવાથી તે બધા જ્ઞયોનું જે આનન્ય થાય તે ગમે તેટલું હોય પરંતુ તેમનું તે આનન્ય નિરાવરણ શુદ્ધ જ્ઞાનના આનન્ય આગળ કંઈ વિસાતમાં નથી. એટલે અનન્ત શેયોને જાણવાને કારણે નિરાવરણ શુદ્ધ જ્ઞાનનું આનન્ય જેઓ સ્થાપે છે તે મોટી ભૂલ કરે છે. ઉપરાંત, જો અનંત સુખનું આનન્ય વિષયનિરપેક્ષ હોય તો અનંત જ્ઞાનનું આનન્ય વિષયનિરપેક્ષ કેમ ન હોય ? મહાવીરને સર્વજ્ઞ માનવાથી ધર્મહાનિ મહાવીર સર્વજ્ઞ હતા એમ મનાયું એટલે તેમના નામે ખગોળ, ભૂગોળ, જ્યોતિષ આદિની વાતો ચઢાવવામાં આવી. આ વાતો એવી છે જે આધુનિક વૈજ્ઞાનિક શોધોની વિરુદ્ધ જાય છે. મહાવીરની સર્વજ્ઞતાને વળગી રહેનારાઓ વિજ્ઞાનની શોધો ખોટી છે અને મહાવીરની (મહાવીરના નામે ચઢાવેલી) વાતો સાચી છે એ સિદ્ધ કરવા હાસ્યાસ્પદ પ્રયત્નો કરવામાં પડી ગયા. વિજ્ઞાનની શોધોથી મહાવીરની સર્વજ્ઞતા ખંડિત થાય છે, એટલું જ નહિ પણ મહાવીરનો વીતરાગતાની સાધનાનો જે ખરો ઉપદેશ છે તેના પ્રત્યે પણ સંશય અને અવિશ્વાસ યુવાન પેઢીમાં ઉત્પન્ન થાય છે. મહાવીરને કેવળજ્ઞાનીમાંથી સર્વજ્ઞ બનાવી જૈન ધર્મની પ્રભાવના નહિ પણ હાનિ કરવામાં આવી છે. મહાવીર મોક્ષમાર્ગના, વીતરાગમાર્ગના સર્વોત્કૃષ્ટ ઉપદેષ્ટા હતા. તે ખગોળ, ભૂગોળ, આદિના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001269
Book TitleJain Darshanma Shraddha Matigyan ane Kevalgyanni Vibhavana
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherBholabhai Jesingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year2000
Total Pages72
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy