SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ જૈનદર્શનમાં સમ્યગ્દર્શન મતિજ્ઞાન કેવળજ્ઞાન समणो वा ब्राह्मणो वा यो सब्बञ्जू सब्बदस्सावी अपरिसेसं जाणं दस्सनं पटिजानिस्सति, न तं ठानं विज्जती ति न मे ते वुत्तवादिनो अब्भाचिक्खन्ति च पन मं ते असता અમૂતિ ૫ (“ “એવો કોઈ શ્રમણ કે બ્રાહ્મણ નથી જે સર્વજ્ઞ અને સર્વદર્શી હોય અને અનંત જ્ઞાન અને દર્શન ધરાવતો હોય, કારણ કે એ અસંભવ છે એમ શ્રમણ ગૌતમે કહ્યું છે' - આવું જે મારા વિશે કહે છે તે સાચું કહેતો નથી અને જે અસત્ય અને ખોટું છે તેનો મારા ઉપર આરોપ કરી મને લાંછન લગાડે છે.”) આ બે વિધાનો ઉપરથી એ સ્પષ્ટ થાય છે કે યુગપત્ સર્વના જ્ઞાનનો અને યુગપત સર્વના દર્શનનો બુદ્ધ સ્વીકાર કરતા નથી છતાં કોઈ બીજા અર્થમાં સર્વનું જ્ઞાન અને સર્વનું દર્શન સ્વીકારે છે. ચોક્કસ કયા અર્થમાં સર્વનું જ્ઞાન અને સર્વનું દર્શન બુદ્ધ સ્વીકારે છે, એ આ બે વિધાનો ઉપરથી તારવવું કઠિન નથી. બે વિધાનોને નજર સમક્ષ રાખીએ તો આપણે જોઈ શકીશું કે સર્વનું જ્ઞાન અને સર્વનું દર્શન સ્વીકારવા હવે બે જ વિકલ્પો બાકી રહે છે : (૧) ક્રમથી સર્વનું જ્ઞાન કરવું અને ક્રમથી સર્વનું દર્શન કરવું તે. (૨) જે કંઈ જાણવું જોવું હોય તેને યોગ્ય ધ્યાન કરી જાણવું જોવું તે. પ્રથમ વિકલ્પ અસ્વીકાર્ય છે કારણ કે જોયો અનંત હોઈ સર્વ જ્ઞયોને ક્રમથી જાણી શકાય નહિ. તેથી સ્વાભાવિકપણે ફલિત થાય છે કે બુદ્ધ સર્વજ્ઞત્વ અને સર્વદર્શિત્વનો એ અર્થમાં સ્વીકાર કરે છે કે જે વસ્તુને જાણવી જોવી હોય તેને ઉપયુક્ત ધ્યાન લગાવી જાણવી જોવી તે. આનો અર્થ એ કે આધ્યાત્મિક સાધનાથી આ અર્થમાં સર્વને જાણવાની અને જોવાની શક્તિ (લબ્ધિ, સિદ્ધિ) સાધક પ્રાપ્ત કરે છે. પરંતુ તે કદી સર્વને યુગપત જાણતો દેખાતો નથી. તે તે જ વસ્તુને જાણે છે દેખે છે જેને તે તે સમયે જાણવા દેખવા માગતો હોય, અને તે પણ યોગ્ય ધ્યાન લગાવ્યા પછી જ તે તે વસ્તુને જાણે છે દેખે છે. આ અર્થઘટનનું સમર્થન ઉત્તરકાલીન બૌદ્ધ ગ્રંથોમાં પણ મળે છે. “મિલિન્દપ્રશ્નમાં નાગસેન કહે છેઃ મવા સળંબૂ, ન જ મનાવતો સતતં મિતં ગvi પત્રુપતિ, માવજ્જનપટિબદ્ધ કાવતો સળંગુબાપ, માવMા વતિ નાનાતિતિા (સંપાદક વાડેકર, મુંબઈ, ૧૯૪૦, પૃ.૧૦૫). અહીં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે ભગવાન બુદ્ધ સર્વજ્ઞ છે, પરંતુ તે બધી જ વસ્તુઓને સતત જાણતા નથી પણ જેને જાણવા ઈચ્છે તેને ધ્યાન ધરી જાણે છે. પોતાના “તત્ત્વસંગ્રહ’ ગ્રંથમાં શાન્તરક્ષિત લખે છેઃ यद् यदिच्छति बोद्धं वा तत् तद्वेत्ति नियोगतः । રેવંવિથ હાસ્ય પ્રદીપાવર દાસ II શ્લોક ૩૬૨૬ (બુદ્ધને જે જે વસ્તુને જાણવાની ઇચ્છા થાય છે તે તે વસ્તુને તે અવશ્ય જાણે છે, એવી એમનામાં શક્તિ છે કારણ કે તેમનાં આવરણો નાશ પામ્યાં છે). પરંતુ સમકાલ કે કંઈક પછી મહાસાંધિક બૌદ્ધોએ તો યુગપદ્ સર્વને જાણવાના અર્થમાં સર્વજ્ઞત્વનો સ્વીકાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001269
Book TitleJain Darshanma Shraddha Matigyan ane Kevalgyanni Vibhavana
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherBholabhai Jesingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year2000
Total Pages72
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy