SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ જૈનદર્શનમાં સમ્યગ્દર્શન મતિજ્ઞાન કેવળજ્ઞાન સ્થાયિત્વની - ધરીપર જગતનો સમસ્ત વ્યવહાર ચાલે છે તે એકત્વને પ્રત્યભિજ્ઞાન અવિસંવાદીરૂપે જાણે છે. “તે જ આ છે એવા જ્ઞાનને ઈન્દ્રિયપ્રત્યક્ષ ન ગણી શકાય કારણ કે ઈન્દ્રયો કેવળ સન્નિકૃષ્ટ અને વર્તમાન વિષયને જ જાણી શકે છે જ્યારે “તે' અંશ તો અસન્નિકૃષ્ટ અને અતીત છે. તેવી જ રીતે, “તે જ આ છે' એવા જ્ઞાનને સ્મરણ પણ ન ગણી શકાય કારણ કે મરણ કેવળ અતીત અને અસત્રિકષ્ટને જ જાણી શકે છે જ્યારે ‘આ’ અંશ તો વર્તમાન અને સન્નિકૃષ્ટ છે. ઇન્દ્રિયપ્રત્યક્ષ અને સ્મરણ બેમાંથી એક પણ તે’ અને ‘આ’ બંનેમાં વ્યાપ્ત – અતીત અને વર્તમાન બંનેમાં વ્યાપ્ત - એકત્વને ગ્રહણ કરી શકે નહિ. એટલે જ એકત્વગ્રાહી પ્રત્યભિજ્ઞાને જૈનો સ્વતંત્ર પ્રમાણ તરીકે સ્વીકારે છે. ૩૩ બૌદ્ધો એકત્વને - સ્થાયિત્વને અસત ગણે છે. તેથી એકત્વગ્રાહી પ્રત્યભિજ્ઞા તેમને મતે નિતાન્ત બ્રાન્ત જ્ઞાન જ છે. વળી, તેઓ પ્રત્યભિજ્ઞાને કોઈ એક જ્ઞાન માનતા નથી પરંતુ પ્રત્યક્ષ અને સ્મરણ બેને કેવળ મિશ્રણ માને છે. જેનો બૌદ્ધ મતનું ખંડન કરે છે. નૈયાયિકો પ્રત્યભિજ્ઞાને ઇન્દ્રિયજન્ય પ્રત્યક્ષ જ માને છે. તેઓ તેને સ્વતંત્ર પ્રમાણ તરીકે સ્વીકારતા નથી. તેમને મતે સંસ્કાર યા સ્મરણરૂપ સહકારીને બળે વર્તમાનમાત્રગ્રાહી ઇન્દ્રિય પણ અતીતાવસ્થાવિશિષ્ટ વર્તમાનને ગ્રહણ કરી શકતી હોઈ પ્રત્યભિજ્ઞાની જનક બની શકે છે. જૈન તાર્કિકો તૈયાયિકોના આ મતનું ખંડન કરી પ્રત્યભિજ્ઞાની સ્વતંત્ર પ્રમાણ તરીકે સ્થાપના કરે છે." નૈયાયિકો ઉપમાન નામનું સ્વતંત્ર પ્રમાણ સ્વીકારે છે. વૃદ્ધજન પાસેથી જ્ઞાતઅજ્ઞાત બે વસ્તુઓના સારશ્યને વૃદ્ધવાક્ય દ્વારા જાણી પછી અજ્ઞાત વસ્તુમાં જ્યારે તે સાદેશ્યનું પ્રત્યક્ષ થાય છે ત્યારે વૃદ્ધવાક્યનું સ્મરણ થાય છે, પરિણામે તે વસ્તુ અમુક પદવાચ્ય છે એવું જે જ્ઞાન જન્મે છે તે ઉપમિતિ છે. આમ સાદગ્ધપ્રત્યક્ષ અને વૃદ્ધવાક્યસ્મરણથી જન્મતું સંજ્ઞાસંગ્નિસંબંધનું જ્ઞાન ઉપમિતિ છે. જૈન તાર્કિકો નૈયાયિકસમ્મત આ ઉપમાન પ્રમાણનો પ્રત્યભિજ્ઞામાં અંતર્ભાવ કરે છે, કારણ કે જૈન તાર્કિકો પ્રત્યક્ષસ્મરણમૂલક જેટલા સંકલનાજ્ઞાનો છે તે બધાંનો સમાવેશ પ્રત્યભિજ્ઞામાં કરે છે.* તર્ક - ઉપલંભ (પ્રત્યક્ષ) અને અનુપલંભથી ઉત્પન્ન થનારું અને સાથે-સાધનના અવિનાભાવ (વામિ) સંબંધને ગ્રહણ કરનારું જ્ઞાન તર્ક છે. ટૂંકમાં, વ્યાણિગ્રાહી જ્ઞાન તર્ક છે. વ્યાપ્તિ સર્વોપસંહારવાળી હોય છે. સર્વ કાળે અને સર્વ દેશે જે કોઈ ધૂમ છે તે અગ્નિથી જ ઉત્પન્ન થાય છે, અગ્નિના અભાવમાં ક્યાંય કદી પણ ધૂમ હોઈ શક્તો નથી - આવો સર્વોપસંહારી અવિનાભાવ તર્ક પ્રમાણનો વિષય છે. પ્રત્યક્ષ પ્રમાણ રસોડા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001269
Book TitleJain Darshanma Shraddha Matigyan ane Kevalgyanni Vibhavana
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherBholabhai Jesingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year2000
Total Pages72
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy