SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનદર્શનમાં સમ્યગ્દર્શન મતિજ્ઞાન કેવળજ્ઞાન ઉપર મતિજ્ઞાનના અસ્તિત્વનો આધાર હોય એવું સૂચવાય છે. હકીકતમાં મતિજ્ઞાનના અસ્તિત્વને કારણે મતિજ્ઞાનાવરણીય કર્મનું અસ્તિત્વ છે, અને નહિ કે મતિજ્ઞાનાવરણીય કર્મના અસ્તિત્વને કારણે મતિજ્ઞાનનું અસ્તિત્વ. મતિજ્ઞાનાવરણીય કર્મની વિભાવના મતિજ્ઞાનની વિભાવના ઉપર આશ્રિત છે, પરંતુ એથી ઊલટું મતિજ્ઞાનની વિભાવના મતિજ્ઞાનાવરણીય કર્મની વિભાવના ઉપર આશ્રિત નથી. મતિજ્ઞાનનું સ્વરૂપ શું છે અને તેમાં આવા પરસ્પર ભિન્ન સ્વભાવો ધરાવતાં જ્ઞાનોનો સમાવેશ કેમ કરવામાં આવ્યો છે આ મહત્ત્વના પ્રશ્નોનો સંતોષપ્રદ ઉત્તર કોઈ જૈન ગ્રંથમાં નથી. જે ઉત્તર આપવામાં આવે છે તે કેવળ પારિભાષિક, સાંપ્રદાયિક અને dogmatic છે, તાર્કિક કે બુદ્ધિગમ્ય નથી. આ પ્રશ્નનો સંતોષપ્રદ ઉત્તર તો એ છે કે મતિ એ ઔપનિષદિક ચાર સોપાનોમાંનું ત્રીજું સોપાન મનન છે અને મનનમાં આ બધાં જ્ઞાન યા પ્રમાણોનો પ્રયોગ થાય છે. એથી મનનને એક પ્રકારના જ્ઞાનમાં (મતિજ્ઞાનમાં) જૈનોએ પરિવર્તિત કરવા છતાં તે મૂળે પેલું મનન છે એ હકીકતનો અવશેષ મતિજ્ઞાનમાં ઇન્દ્રિયપ્રત્યક્ષ, સ્મૃતિ, વગેરેનો સમાવેશની જૈન માન્યતામાં રહી ગયો છે. મતિજ્ઞાનમાં શ્રતનો સમાવેશ કેમ ન કર્યો? વળી, જૈનોએ જેનો ઉત્તર આપવો જોઈએ તે બીજો મહત્ત્વનો પ્રશ્ન એ છે કે એકબીજાથી અત્યન્ન ભિન્ન સ્વભાવો ધરાવતાં ઇન્દ્રિયપ્રત્યક્ષ, સ્મૃતિ વગેરેને મતિજ્ઞાનના એક વર્ગમાં મૂક્યાં તો શ્રુતનો (આગમપ્રમાણ, શબ્દપ્રમાણનો) સમાવેશ પણ મતિજ્ઞાનમાં કેમ ન કર્યો? એવું તે શું છે કે જૈનોને તેમ કરતાં રોકે છે? તેમનો ઉત્તર એ જ છે કે પેલાં બધાં જ્ઞાનોનું કારણ મતિજ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ છે જ્યારે શ્રુતનું કારણ શ્રુતજ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ છે, અને કારણભેદે તેમનો ભેદ છે. આ ઉત્તર પણ પારિભાષિક, સાંપ્રદાયિક અને dogmatic છે અને તેથી ગ્રાહ્ય કે સ્વીકાર્ય નથી. એટલું જ નહિ પણ આ ઉત્તર અંગે પણ પ્રશ્ન ઊઠે છે કે બે ભિન્ન જ્ઞાનાવરણીય કર્મો - મતિજ્ઞાનાવરણીય અને શ્રુતજ્ઞાનાવરણીય - કલ્પવાની શી જરૂર હતી, એક મતિજ્ઞાનાવરણીય કર્મથી ન ચાલે ? જો ઇન્દ્રિયપ્રત્યક્ષ, સ્મૃતિ, પ્રત્યભિજ્ઞા, ચિન્તા, અનુમાન જેવાં અત્યન્ત ભિન્ન સ્વભાવવાળાં જ્ઞાનો માટે ભિન્ન ભિન્ન જ્ઞાનાવરણીય કર્મો ન કપ્યાં તો શ્રતને માટે જુદું જ્ઞાનાવરણીય કર્મ કેમ કયું? જૈનો ઇન્દ્રયપ્રત્યક્ષ, સ્મૃતિ વગેરેને સ્વતંત્ર પ્રમાણો માને છે છતાં તેમનાં આવરણીય કર્મો સ્વતંત્ર નથી માન્યાં, તો પછી શ્રુતનું સ્વતંત્ર આવરણીય કર્મ કેમ માન્યું ? વળી, જેમ ઇન્દ્રિયપ્રત્યક્ષ, સ્મૃતિ, વગેરેને જૈનો મુખ્યપણે પરોક્ષ માને છે, તેમ શ્રુત પણ પરોક્ષ જ છે. તો પછી શ્રતને મતિના વર્ગમાંથી અલગ કેમ રાખ્યું ? શ્રતનો મતિમાં સમાવેશ કરી શ્રુતને પણ મતિ કેમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001269
Book TitleJain Darshanma Shraddha Matigyan ane Kevalgyanni Vibhavana
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherBholabhai Jesingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year2000
Total Pages72
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy