SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનદર્શનમાં મતિજ્ઞાન ४ સંકુચિત અર્થ છે અને તે છે ઇન્દ્રિયપ્રત્યક્ષ. વિસ્તૃત અર્થવાળા મતિને મતિજ્ઞ કહીશું અને સંકુચિત અર્થવાળા મતિને મતિ–વ કહીશું. જો પ્રસ્તુત સૂત્રમાં (૧.૧૩) આવતા ‘મતિ’ શબ્દને મતિ-અ તરીકે લેવામાં આવે તો તે શબ્દ સ્મૃતિ, સંજ્ઞા, ચિન્તા અને અભિનિબોધનું સામાન્ય નામ બની જાય અને પરિણામે ઇન્દ્રિયપ્રત્યક્ષ છૂટી જાય અને મતિ-અ માં તેનો સમાવેશ ન થાય. તત્ત્વાર્થટીકાકાર સિદ્ધસેનગણિ કહે છે કે મતિનો વિષય વર્તમાન છે, સ્મૃતિનો અતીત છે, ઇત્યાદિ. આ વસ્તુ એ હકીકતનું સમર્થન કરે છે કે પ્રસ્તુત સૂત્રમાં (૧.૧૩) ‘તિ’ શબ્દનો અર્થ ઇન્દ્રિયપ્રત્યક્ષ છે. સંજ્ઞા એ પ્રત્યભિજ્ઞા છે. તે અતીત અને વર્તમાન ઉભયવિષયક છે. ચિન્ના ભવિષ્યવિષયક છે. તે ભવિષ્યના વિષયની વિચારણા છે. કેટલાક ચિન્તાને પ્રમાણશાસ્રસ્વીકૃત તર્ક ગણે છે. આ તર્ક અનુમાનનું કારણ છે. અભિનિબોધ પણ મતિ-અ નો એક પ્રકાર જ છે. તે ઇન્દ્રિયપ્રત્યક્ષ, સ્મૃતિ, પ્રત્યભિજ્ઞા અને ચિન્તાનું સામાન્ય નામ નથી, જો કે જૈન ગ્રંથોમાં તેને તેમના સામાન્ય નામ તરીકે સમજાવવામાં આવે છે અને એ અર્થમાં તેનો પ્રયોગ કરવામાં આવે છે. તેથી પંડિત સુખલાલજી પોતાના વિવેચનમાં લખે છેઃ “અભિનિબોધ શબ્દ સામાન્ય છે. તે મતિ, સ્મૃતિ, સંજ્ઞા અને ચિન્તા એ બધાં જ્ઞાનો માટે વપરાય છે.” પરંતુ મહેન્દ્રકુમાર જૈન જેવા કેટલાક આધુનિક વિદ્વાનોએ અભિનિબોધનો અર્થ અનુમાન કર્યો છે, જે ઉચિત જણાય છે. આચાર્ય હેમચંદ્રે પ્રમાણમીમાંસા સ્વોપક્ષવૃત્તિમાં કહ્યું છે તેના ઉપરથી પણ અભિનિબોધનો અર્થ અનુમાન સૂચિત થાય છે. ત્યાં તેમણે કહ્યું છે : (ઇન્દ્રિયપ્રત્યક્ષની અંતિમ કોટિ) ધારણા પ્રમાણ છે અને સ્મૃતિ ફળ છે, પછી સ્મૃતિ પ્રમાણ છે અને પ્રત્યભિજ્ઞા (સંજ્ઞા) ફળ છે, પછી પ્રત્યભિજ્ઞા પ્રમાણ છે અને ઊહ (ચિત્તા) ફળ છે, પછી ઊહ પ્રમાણ છે અને અનુમાન ફળ છે. આમ ઇન્દ્રિયપ્રત્યક્ષથી માંડી અનુમાન સુધી પૂર્વપૂર્વની કડીનો પ્રમાણભાવ અને ઉત્તરોત્તર કડીનો ફળભાવ જણાવ્યો છે. તે કડીઓ છે – ઇન્દ્રિયપ્રત્યક્ષ, સ્મૃતિ, સંજ્ઞા, ચિન્તા અને અનુમાન. આ નિશ્ચિતપણે સૂચવે છે કે અહીં અભિનિબોધ શબ્દના બદલે અનુમાન શબ્દનો પ્રયોગ થયો છે અને તે બંને એક જ અર્થના વાચક છે. ઇન્દ્રિયપ્રત્યક્ષ, સ્મૃતિ વગેરેને મતિજ્ઞાનના એક જ વર્ગમાં મૂકવાનું કારણ અહીં પ્રશ્ન એ થાય છે કે એકબીજાથી અત્યન્ન ભિન્ન સ્વભાવ ધરાવતાં ઇન્દ્રિયપ્રત્યક્ષ, સ્મૃતિ, પ્રત્યભિજ્ઞા, ચિત્તા, અનુમાન જેવાં શાનો મતિજ્ઞાનના (મતિઅના) એક જ વર્ગમાં મૂકવાનું કારણ શું? આનો ઉત્તર જૈન ચિંતકો નીચે મુજબ આપે છે. તેઓ જણાવે છે કે આ બધાં જ્ઞાનોનું કારણ મતિજ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ હોઈ, તેમને મતિજ્ઞાનના એક જ વર્ગમાં મૂક્યાં છે. અહીં મતિજ્ઞાનાવરણીય કર્મના અસ્તિત્વ Jain Education International ૨૭ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001269
Book TitleJain Darshanma Shraddha Matigyan ane Kevalgyanni Vibhavana
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherBholabhai Jesingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year2000
Total Pages72
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy