SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ જૈનદર્શનમાં સમ્યગ્દર્શન મતિજ્ઞાન કેવળજ્ઞાન કરી. આમ મતિજ્ઞાન તેમને મતે તે બધાં પ્રમાણ માટેનું એક સામાન્ય નામ બની ગયું. સાધકને માટે પ્રમાણશાસ્ત્રનું શાસ્ત્રીય જ્ઞાન જરૂરી નથી. પ્રમાણશાસ્ત્ર ન ભણેલો પણ સારું મનન કરી શકે અને એ જ અધ્યાત્મવિદ્યામાં અપેક્ષિત છે. આ વસ્તુ જ ઉત્તરકાળે ભુલાઈ ગઈ લાગે છે અને પરિણામે શ્રત પછી આવતા મતિનો ક્રમ ઉલટાવી દેવામાં આવ્યો છે, અને મતિ અને શ્રુતનો મુખ્યપણે પ્રમાણશાસ્ત્રીય દૃષ્ટિએ વિચાર કરવામાં આવ્યો છે. આમ જૈનોએ પોતાનું આગવું પ્રમાણશાસ્ત્ર ઊભું કરવા એક મોટું પગલું ભર્યું. દરેક દર્શન પોતાનું પ્રમાણશાસ્ત્ર ઊભું કરે એમાં કંઈ ખોટું નથી અને કરવું જોઈએ. પરંતુ જૈન ચિંતકોએ આધ્યાત્મિક ચાર સોપાનોની મૂળભૂત યોજનાને તદ્દન ભૂંસી તેનું નામોનિશાન મીટાવી તેના પર પ્રમાણશાસ્ત્ર ઊભું કરવાનો પ્રયત્ન કર્યો તે અક્ષમ્ય છે. તેમ છતાં તેમણે મનનમાંથી પરિવર્તિત કરેલા મતિજ્ઞાનમાં કેટલીક એવી બાબતો છે જે મૂળ મનન તરફ નિર્દેશ કર્યા વિના રહેતી નથી અને કેટલાક પ્રશ્નોનો ઉત્તર મૂળ મનન જ મતિ છે એમ ધારવાથી મળી જાય છે – અન્યથા મળતો નથી. મતિજ્ઞાનના પ્રકારો આગમોમાં મતિજ્ઞાનનું વર્ણન છે. અને તત્ત્વાર્થસૂત્રમાં આગમગત મતિજ્ઞાનના વર્ણનોનું વ્યવસ્થિત સંકલન કરવામાં આવ્યું છે. તેને આધારે અહીં સમીક્ષા-પરીક્ષાપૂર્વક મતિજ્ઞાનવિચારણા કરીશું. મત્તિકૃતવમન:પર્યાયવેત્તાન જ્ઞાનમ્ (૧.૯). અહીં પાંચ જ્ઞાનોને ગણાવ્યાં છે. પછી એક સૂત્ર (૧.૧૩) આવે છે - મતિઃ સ્મૃતિ: સંજ્ઞા વિત્તા વિથ જ્યના સૂત્રનો અર્થ છે – મતિ, મૃતિ, સંજ્ઞા, ચિત્તા, અભિનિબોધ આ બધા શબ્દો પર્યાયશબ્દો છે – એકાર્થક છે. તાત્પર્ય એ છે કે મતિ મતિ છે, સ્મૃતિ મતિ છે, સંજ્ઞા મતિ છે, ચિત્તા મતિ છે અને અભિનિબોધ પણ મતિ છે. અર્થાત, મતિ,મૃતિ, સંજ્ઞા, ચિન્તા અને અભિનિબોધ એ બધાં મતિ છે. એનો અર્થ એ થયો કે મતિ,મૃતિ, વગેરે મતિના પ્રકારો છે. આ વસ્તુને દાંતથી સમજીએ. મનુષ્ય જીવ છે, હાથી જીવ છે, ઘોડો જીવ છે. આ અર્થમાં મનુષ્ય, હાથી, ઘોડો, જીવ અનર્થાન્તર છે. આનો અર્થ એ કે મનુષ્ય, હાથી, ઘોડાનું સામાન્ય નામ “જીવ છે. બીજા શબ્દોમાં મનુષ્ય, હાથી, ઘોડો એ જીવના પ્રકારો છે. તેવી જ રીતે, મતિ, સ્મૃતિ, સંજ્ઞા, ચિન્તા અને અભિનિબોધ એ મતિના પ્રકારો છે. મતિજ્ઞાનના પ્રકારોમાં પણ મતિજ્ઞાન છે. એનો અર્થ એ થાય કે મતિજ્ઞાનના પ્રકારોમાં જે મતિજ્ઞાન ગણાવ્યું છે તેનો સંકુચિત અર્થ છે અને તે છે ઇન્દ્રિયપ્રત્યક્ષ. આમ “મતિ' શબ્દ બે અર્થોમાં વપરાયો છે. તેનો વિસ્તૃત અર્થ છે એવું જ્ઞાન જેના પ્રકારો ઇન્દ્રિયપ્રત્યક્ષ, સ્મૃતિ, સંજ્ઞા, ચિત્તા અને અભિનિબોધ છે. બીજો તેનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001269
Book TitleJain Darshanma Shraddha Matigyan ane Kevalgyanni Vibhavana
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherBholabhai Jesingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year2000
Total Pages72
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy