SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ જૈનદર્શનમાં સમ્યગ્દર્શન મતિજ્ઞાન કેવળજ્ઞાન થાય છે તેમ આત્મા ચેતન-અમૂર્ત હોવા છતાં ભૌતિક-મૂર્ત કર્મ દ્વારા તેનો ઉપઘાત યા ઉપકાર થાય છે. આત્મા અને કર્મનો સંબંધ અનાદિ છે.૩૮ ૨. અજીવ: અજીવમાં પાંચ દ્રવ્યોનો સમાવેશ છે – પુદ્ગલ (Matter), ધર્મ, અધર્મ, આકાશ અને કાલ. (૧) પુગલ - સ્પર્શ, રસ, ગબ્ધ અને વર્ણ એ પુદ્ગલદ્રવ્યના વ્યાવર્તક ગુણો છે.* પુદ્ગલના પ્રત્યેક પરમાણમાં આ ચારે ગુણો હોય છે. સ્પર્શના આઠ, રસના પાંચ, ગંધના બે અને વર્ણના પાંચ ભેદ છે – આમ કુલ વીસ મુખ્ય ભેદ છે. અણુમાં એક રસ, એક વર્ણ, એક ગન્ધ અને બે સ્પર્શ હોય છે. તેને શીત અને રૂક્ષ બે સ્પર્શ, કે શીત અને સ્નિગ્ધ બે સ્પર્શ, કે ઉષ્ણ અને રુક્ષ બે સ્પર્શ, કે ઉષ્ણ અને નિષ્પ બે સ્પર્શ હોય છે. આમ દરેક પરમાણુ કાં તો સ્નિગ્ધ હોય છે કાં તો રુક્ષ હોય છે. નિગ્ધતા અને રુક્ષતાની માત્રા અનંત સુધી હોઈ શકે છે. આ સ્નિગ્ધતા અને રુક્ષતાની નિયત માત્રાઓ ધરાવતા બે પરમાણુઓ જ સંયોજન પામે છે. ડૉ. બી. એન. સીલ આ અંગે લખે છે : “A crude theory, of chemical combination, very crude but immensely suggestive, and possibly based on the observed electrification of smooth and rough surfaces as the result of rubbing.જર પરમાણમાં સ્નિગ્ધતા કે રુક્ષતાની માત્રાની હીનાપિક્સારૂપ પરિવર્તન સ્વાભાવિકપણે જ ચાલ્યા કરે છે. અને બે પરમાણુઓમાં તેમની નિયત માત્રા હોતાં પરમાણુઓનું સંયોજન થઈ સ્કંધ (aggregate) બને છે. આ અંગે ડો. એ. એન. ઉપાધે કહે છે: “Thus the atomic aggregation is an automatic function resulting from the essential nature of atoms. ... The combinatory urge in atoms is due to their degrees of cohesiveness and aridness."x3 પરમાણુવાદની બીજી નોંધપાત્ર બાબત એ છે કે પરમાણુઓમાં જાતિભેદ નથી. પૃથ્વીાતિના પરમાણુઓનો અલગ વર્ગ, અપ્રજાતિના પરમાણુઓનો અલગ વર્ગ, ઈત્યાદિ જૈનો માનતા નથી. તેમને મતે કોઈ પણ પરમાણુ પૃથ્વી, પાણી, તેજ અને વાયુનો પર્યાય (પરિણામ, mode) ધારણ કરી શકે છે. પરમાણુને દેશવ્યાપ્તિ (extension) નથી. તે જેટલા દેશને રોકે છે તેને પ્રદેશ કહે છે. પ્રદેશ દેશમાપનું અંતિમ ઘટક છે. જૈન પરમાણુવાદની બીજી વિશિષ્ટ માન્યતા નીચે મુજબ છે. એક પરમાણુ એક પ્રદેશમાં રહે છે, પરંતુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001269
Book TitleJain Darshanma Shraddha Matigyan ane Kevalgyanni Vibhavana
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherBholabhai Jesingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year2000
Total Pages72
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy