SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ જૈનદર્શનમાં શ્રદ્ધા(સમ્યગ્દર્શન)ની વિભાવના ' (૧) સમગ્ર જૈન સાહિત્યમાં એક વિધાન એવું પ્રાપ્ત થયું છે જ્યાં નૈસર્ગિક શ્રદ્ધા અને આધિગમિક શ્રદ્ધાનો એક જ વ્યક્તિને થતી શ્રદ્ધાની બે ક્રમિક ભૂમિકાઓ તરીકે સ્પષ્ટ સ્વીકાર થયો છે. તે વિધાન વાચક ઉમાસ્વાતિના તત્ત્વાર્થસૂત્રભાષ્યની સંબંધકારિકા ૧ ઉપરની આચાર્ય દેવગુપ્તની ટીકામાં આવે છે. દેવગુપ્ત લખે છે : नैसर्गिकाद् अवाप्तश्रद्धोऽध्ययनादिभिराधिगमिकम् (श्रद्धानम्) अवाप्नोति। (૨) જૈન ચિંતકો બે પ્રકારની શ્રદ્ધાનો (સમ્યગ્દર્શનનો) સ્વીકાર કરે છે – નૈશ્ચયિક શ્રદ્ધા અને વ્યાવહારિક શ્રદ્ધા. નૈઋયિક શ્રદ્ધાને આપણે શ્રવણપૂર્વેની શ્રદ્ધા ગણી શકીએ, કારણ કે તેનું લક્ષણ શ્રવણપૂર્વેની શ્રદ્ધા જેવું જ છે. મહાન જૈન ચિતક ઉપાધ્યાય યશોવિજ્યજી તેમની સમ્યકત્વ ષસ્થાનક ચઉપઈ ઉપર બાલાવબોધ (ગાથા ૨)માં લખે છે : “દર્શનમોહનીયકર્મનો જે વિનાશ ક્ષય-ઉપશમ-ક્ષયોપશમરૂપ, તેથી જે નિર્મલ મલરહિત ગુણનું થાનક ઉપજઇ તે નિશ્ચય સમ્યક્ત જાણિઇ.” આમ આધ્યાત્મિક વિકાસથી ઉત્પન્ન થયેલી આત્માની વિશુદ્ધિ એ નિશ્ચય શ્રદ્ધા છે, જ્યારે તેને કારણે થતો શ્રત જીવાદિ તત્ત્વો સાચા હોવાનો વિશ્વાસ કે ભાવ એ વ્યવહાર શ્રદ્ધા છે. (૩) જૈન ગ્રંથો શ્રદ્ધાના (સમગ્દર્શનના) પાંચ લિંગ, ચિહ્નો ગણાવે છે. તે નીચે પ્રમાણે છે : (1) પ્રશમ - રાગદ્વેષનો, મતાગ્રહનો, દષ્ટિરાગનો ઉપશમ એ જ પ્રશમ છે. (૪) સંવેગ - સંવેગના બે અર્થ છે : (૧) સન્વેગ, સમ્ = સમ્યફ અર્થાત્ તત્ત્વ યા સત્ય પ્રતિ, વેગ અર્થાત ગતિ. તત્ત્વ કે સત્ય માટેની તીવ્રતમ અભીપ્સા સાથે સત્યશોધ માટે ગતિ કરવી તે. (૨) સાંસારિક બંધનોથી દૂર થવાની વૃત્તિ. સત્યની ખોજ માટે સાંસારિક બંધનો બાધક છે. (૩) નિર્વેદ - નિર્વેદના પણ બે અર્થો છે : (૧) સાંસારિક વિષયોમાં ઉદાસીનતા, રાગાભાવ, અનાસક્તિ. વિષયોમાં, સાંસારિક ભાગોમાં આસક્તિ સત્યની સાધનાને વિકૃત કરે છે, દૃષ્ટિને મોહિત કરે છે, માર્ગથી મૃત કરે છે. (૨) માન્યતાઓમાં અનાસક્તિ. કોઈ પણ મતમાં રાગ ન હોવો, દૃષ્ટિબદ્ધતા ન હોવી. (૩) અનુકંપા - અનુકંપાના પણ બે અર્થ થઈ શકે છે : (૧) બીજાને દુ:ખી દેખી દુઃખી થવું, તેના દુ:ખને દૂર કરવાની ઇચ્છા થવી તે અનુકંપા. (૨) બીજાઓને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001269
Book TitleJain Darshanma Shraddha Matigyan ane Kevalgyanni Vibhavana
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherBholabhai Jesingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year2000
Total Pages72
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy