SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનદર્શનમાં સમ્યગ્દર્શન મતિજ્ઞાન કેવળજ્ઞાન આંતર પ્રન્થિ અને વસ્ત્રની બાહ્ય ગ્રન્થિ. રાગદ્વેષની આંતર ગ્રન્થિના રાહિત્યને વસ્ત્રની બાહ્ય ગ્રન્થિનું રાહિત્ય સૂચવે છે એમ મનાતું. એટલે વસ્ત્રની બાહ્ય પ્રન્થિના સાહિત્યને આધ્યાત્મિક દૃષ્ટિએ મહત્ત્વ આપવામાં આવતું. વસ્ત્રની બાહા ગ્રન્થિનું રાહિત્ય એટલે નગ્નતા. આમ ‘નિર્ઝન્થ” શબ્દનો યૌગિક અર્થ “નગ્ન” છે, અને કોઈ પણ સંપ્રદાયના નગ્ન સાધુ માટે તે શબ્દનો પ્રયોગ મૂળે થતો હશે. આપણે જાણીએ છીએ કે ભારતમાં પ્રાચીન કાળમાં અનેક સંપ્રદાયના સાધુઓ નગ્ન રહેતા હતા. નગ્નતાની આધ્યાત્મિક પ્રતિષ્ઠા હતી. પ્રાચીન ગ્રીકો પણ ભારતીય સાધુ માટે “Gymnosophist” શબ્દનો પ્રયોગ કરે છે જેનો અર્થ પણ “નગ્ન સાધુ છે. પરંતુ અમુક એક જ સંપ્રદાયના સાધુઓ માટે નિર્ઝન્થ' શબ્દનો પ્રયોગ ચોક્કસપણે ક્યારથી રૂઢ થયો તે કહેવું મુશ્કેલ છે. એટલે બૌદ્ધ પિટકો પૂર્વે પ્રાચીનકાળના સંદર્ભમાં “નિર્ચન્થ' પદનો અર્થ કરતી વખતે ખૂબ સાવચેત રહેવું જોઈએ. અલબત્ત, પિટકકાળથી તો તે શબ્દ અમુક એક જ સંપ્રદાયના સાધુઓનો – જેમને અત્યારે આપણે જૈન સંપ્રદાયના સાધુઓ કહીએ છીએ તેમનો વાચક છે. ઋગ્વદમાં વાતરશના મુનિઓનું વર્ણન છે. “વાતરશના મુનિ'નો અર્થ નગ્ન મુનિ સ્વાભાવિક છે. અને તેથી વાતરશના મુનિઓને નિર્ઝન્ય મુનિઓ કહેવાય. જયંત ભટ્ટની ન્યાયમંજરી ઉપર ન્યાયમંજરી ગ્રંથિભંગ નામની ટીકા લખનાર દસમી સદીના કાશ્મીરી પંડિત ચક્રધર પોતાની ટીકામાં “પુનો વાતિરેશન'ને સમજાવતાં લખે છે : વાત પર્વ ની વાતો પ્રસ્થને ચેષાં તે વાતરશના:, તો વાસણોમાવાવ વાતત્તેષાં રીના, ગત પર્વ નિા ભયને જ પરંતુ આને આધારે વાતરશના મુનિઓ જૈન મુનિઓ હતા એમ કહેવું કેટલું ઉચિત ગણાય? વધુમાં વધુ એટલું કહી શકાય કે વાતરશના મુનિઓ શ્રમણ મુનિઓ હતા, કારણ કે વિશેષતઃ શ્રમણ સંપ્રદાયના મુનિઓ નગ્ન રહેતા હતા. અને તેથી શ્રીમદ્ ભાગવતમાં સ્પષ્ટપણે કહ્યું છે: વાતરશનાનાં શ્રમનામ્ નિષ્કર્ષ એ કે વાતરશના મુનિઓને કેવળ યૌગિક અર્થમાં નિર્ચન્થ ગણાય, રૂઢ અર્થમાં નહિ. જૈન આગમો સ્વીકારે છે કે મુક્તિ માટે વીતરાગ બનવું એ જ અનિવાર્ય છે, આ કે તે બાહ્ય વેશ, બાહ્ય ક્રિયાકાંડ વગેરે નહિ, અને તેથી કોઈ પણ સંપ્રદાયની વ્યક્તિ મુક્તિ પામી શકે છે. તેમણે અન્યલિંગ સિદ્ધોનો સ્વીકાર કર્યો છે. અન્યલિંગ સિદ્ધોના સ્વીકારમાં જે ઉદારતા જૈનોએ દાખવી છે તે ઉદારતા તેમને અન્યલિંગ તીર્થકરના સ્વીકાર ભણી સહેલાઈથી લઈ જઈ શકે છે. જેમનો ઉપદેશ રાગમુક્તિનો અસરકારક માર્ગ બતાવતો હોય તેમને તીર્થકર તરીકે સ્વીકારવામાં તેમને કોઈ બાધા ન હોવી જોઈએ. પુરાતન પુરુષ ઋષભદેવ વીતરાગી યોગી-તપસ્વી હતા. અને તેમને જુદી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001269
Book TitleJain Darshanma Shraddha Matigyan ane Kevalgyanni Vibhavana
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherBholabhai Jesingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year2000
Total Pages72
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy