SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ ૬-૫૧ પર્વતપક્ષનો બોધ ચાક્ષુષાદિ પ્રત્યક્ષ પ્રમાણ જન્ય છે. અને અમારા અનુમાનમાં ર્વિજ્ઞ પક્ષનો બોધ (છે કે નહીં તે નિર્ણય ન હોવાના કારણે તથા) તવિપર્યથા–ચાક્ષુષાદિ પ્રત્યક્ષ પ્રમાણ જન્ય ન હોવાથી વિકલ્પથી થાય છે. नन् किमनेन दुर्भगाभरणभारायमाणेन विकल्पेन प्रामाणिकः कुर्यादिति चेत् ? तदयुक्तम् , यतः प्रामाणिकोऽपि षट्तर्कोपरितर्ककर्कशशेमुषीविशेषसङ्ख्यावद्विरा जिराजसभायां खरविषाणमस्ति नास्ति वेति केनापि प्रसर्पद्दोद्धरकन्धरेण साक्षेपं प्रयाहतोऽवश्यं पुरुषाभिमानी किञ्चिद् ब्रूयाद्, न तुष्णीमेव पुष्णीयात् , अप्रकृतं च कि.मपि प्रलपन् सनिकारं निस्सार्येत, प्रकृतभाषणे तु विकल्पसिद्धं धर्मिणं विहाय काऽन्यागतिरास्ते ? ॥ નૈયાયિક– દૌર્ભાગ્યવાળી (વિધવા) સ્ત્રીના શરીર ઉપર આભરણોના ભાર તુલ્ય એવા આ વિકલ્પસિદ્ધ પક્ષ વડે પ્રામાણિક પુરુષને શું કામ ? અર્થાત્ જે સ્ત્રી વિધવા છે, તેને ગમે તેટલાં આભરણોનો ભાર હોય તો પણ કંઈ કામનો નથી. તેવી જ રીતે પ્રામાણિક પુરુષો આ વિકલ્પમાત્રથી રજા કરાતા પક્ષને શું કરે ? અર્થાત્ પ્રમાણસિદ્ધ પક્ષ હોય તો જ પક્ષ કહેવાય છે. વિકલ્પસિદ્ધ પક્ષ સંભવતો નથી. જૈન– નૈયાયિકની ઉપરોક્ત વાત ઉચિત નથી. કારણ કે કોઇપણ પ્રામાણિક પુરુષને પર્ત છ એ દર્શનશાસ્ત્રોની ૩પર ઉપર ત =અતિશય અભ્યાસ દ્વારા વશ સૂક્ષ્મ શમૂવિશેષ એવી તીવ્ર બુદ્ધિ વિશેષવાળા નંદ્યાવત્ વિદ્વાન પુરુષો વડે વિનિ-વિશેષ શોભાયમાન એવી રાનમાં રાજ્યસભામાં “ખરવિષાણ છે કે નથી” આવો પ્રશ્ન વધતા અભિમાનથી અદ્ધર બનેલી છે ડોક જેની એવા કોઈ વાદી વડે આક્ષેપપૂર્વક તાડન કરાવે છતે (તાડુકીને પૂછાયે છતે) પુરુષાભિમાની (પોતાને કંઈક વિશિષ્ટ સમજનાર અને આથી જ રાજ્યસભામાં વાદમાં ઉતરેલ) એવા તે પ્રામાણિક પ્રતિવાદીએ અવશ્ય કંઈક તો ઉત્તર બોલવો જ પડે. પરંતુ કંઈ મૌન ન રહેવાય. અને અપ્રસ્તુત પણ ગમે તેમ ન બોલાય. કારણ કે જો મૌન રહે તો તે પ્રામાણિક પ્રતિવાદીને કંઈ આવડતું નથી એમ સિદ્ધ થતાં હાર થાય. અને અપ્રસ્તુત કંઇપણ બોલે તો પણ (જાતિ અને નિગ્રહસ્થાનોથી હાર તો થાય જ તદુપરાંત) નિરંપરાભવ કરવા પૂર્વક રાજ્યસભામાંથી તેની હકાલપટ્ટી કરવામાં આવે. અર્થાત્ બહાર કાઢવામાં આવે. એટલે મૌન તો ન જ રહેવાય અને અપ્રસ્તુત પણ ન બોલાય. તેથી પ્રસ્તુત જ બોલવું પડે. જ્યારે પ્રસ્તુત જ ભાષણ કરે ત્યારે “ખરવિષાણ નથી જ, અસત્ હોવાથી વધ્યાપુત્રવત્” આ ભાષણમાં વિકલ્પસિદ્ધ પક્ષને રજુ કરવા વિના અન્ય બીજો કયો રસ્તો હોઈ શકે ? અર્થાત્ બીજો કોઈ રસ્તો નથી. વિકલ્પસિદ્ધ ધર્મી જ સ્વીકારવો પડે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy