SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ ૬-૫૧ રત્નાકરાવતારિકા ભાગ-૩ સાધ્ય (અગ્નિ) પણ જણાઇ જ જશે. અથવા તેનો સાર એ કે અગ્નિવાળી પર્વત પ્રત્યક્ષ વડે જ જણાઈ જશે. માટે ત્યાં પણ અનુમાન અપાર્થક જ બનશે. (ननु) अग्निमत्त्वानग्निमत्त्वविशेषशून्यस्य शैलमात्रस्य प्रत्यक्षेण परिच्छेदाद् नानुमानानर्थक्यमिति चेत्, तर्हि अस्तित्वनास्तित्वविशेषशून्यस्य सर्वज्ञमात्रस्य विकल्पेनाऽऽकलनात् कथमत्राप्यनुमानानर्थक्यं स्यात् ? अस्तित्वनास्तित्वव्यतिरेकेण कीदृशी सर्वज्ञसिद्धिरिति चेत्, अग्निमत्त्वानग्निमत्त्वव्यतिरेकेण क्षोणिधरमात्रसिद्धिरपि कीदृशी? इति वाच्यम् । क्षोणीधरोऽयमित्येतावन्मात्रज्ञप्तिरेवेति चेत्, इतरत्रापि सर्वज्ञ इत्येतावन्मात्रज्ञप्तिरेव साऽस्तु, केवलमेका प्रमाणलक्षणोपपन्नत्वात् प्रामाणिकी, तदन्या तु तद्विपर्ययाद् वैकल्पिकीति ।। તૈયાયિક– હે જૈન ! જ્યારે ચાક્ષુષપ્રત્યક્ષથી પર્વત દેખાય છે. ત્યારે આ પર્વત અગ્નિમાનું છે કે અનગ્નિમાન્ય છે. એવા વિશેષાપૂર્વક જણાતો નથી. પરંતુ આવા વિશેષોથી શૂન્ય એવા શૈલમાત્રનો જ પ્રત્યક્ષ પ્રમાણ વડે પરિચ્છેદ થતો હોવાથી અગ્નિમત્ત્વ છે કે અનગ્નિમત્ત્વ છે એ જાણવા માટે ત્યાં તો અનુમાન પ્રમાણ કરવું જ પડે છે. તેથી નિરર્થક કેમ કહેવાય ? જૈન તો હે તૈયાયિક ! એ જ પ્રમાણે અસ્તિવ અને નાસ્તિત્વ એવા વિશેષાથી શૂન્ય સર્વજ્ઞમાત્રની કલ્પના વિકલ્પ દ્વારા કરવાથી તેના અસ્તિત્વ-નાસ્તિત્વને જાણવા માટે અનુમાન પ્રમાણની આવશ્યક્તા હોવાથી અહીં પણ અનર્થક કેમ કહેવાય ? નૈયાયિક હે જૈન ! અસ્તિત્વ અને નાસ્તિત્વ વિશેષો વિના સર્વશની સિદ્ધિ તો વળી કેવી હોય ! અર્થાત્ સર્વજ્ઞ છે અથવા સર્વજ્ઞ નથી. એમ અસ્તિ-નાસ્તિ સાથે જ સિદ્ધિ હોય. તે ધર્મ વિના એકલા ધમીની સિદ્ધિ વળી કેવી હોય ? જૈન– હે નૈયાયિક ! તમારા અનુમાનમાં અગ્નિમત્ત્વ અને અનગ્નિમત્ત્વ એવા વિશેષણ વિનાના કેવલ એક્લા પર્વતપક્ષની સિદ્ધિ ચાક્ષુષપ્રત્યક્ષથી કેવી હોય ? તે કહો. નૈયાયિક- હે જૈન ! “આ પર્વત છે” એટલી જ માત્ર જ્ઞપ્તિ થાય છે. એટલે કે પર્વતમાત્ર છે. એટલી જ પ્રતીતિ ચાક્ષુષપ્રત્યક્ષથી થાય છે. પછી અગ્નિમત્ત્વ અને અનગ્નિમત્ત અનુમાનથી કરાય છે. જૈન– હે નૈયાયિક ! તન્નાઈપ અન્ય સ્થાને પણ એટલે કે અમારા જૈનોના અનુમાનમાં પણ “સર્વજ્ઞ” એટલો જ માત્ર બોધ વિકલ્પથી થાય છે. ત્યારબાદ તેના અસ્તિત્વ અને નાસ્તિત્વનો નિર્ણય અનુમાનથી થાય છે. ફક્ત તમારા અનુમાનમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy