SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ ૬-૫૧ सर्वस्यापि सिद्धेः । तथा च चाक्षुषत्वादिरपि शब्दानित्यत्वे साध्ये सम्यग्धेतुरेव भवेदिति चेत् ? રૈયાયિક– મનની કલ્પના માત્ર સ્વરૂપ વિકલ્પથી સિદ્ધ કરાતા એવા પણ ધર્મીમાં જો પ્રમાણ શોધવાનું હોય, તો પ્રમાણસિદ્ધ એવા ધર્મમાં પણ તેની સિદ્ધિ માટે પ્રમાણાન્તર (બીજું પ્રમાણ) લગાડવું પડશે. સારાંશ એવો છે કે જો અનુમાનમાં મૂકાયેલા બધા પક્ષોને પણ પ્રમાણથી જ સાબિત કરવા પડતા હોય તો જેમ વિ‚સિદ્ધ પક્ષને માટે પ્રમાણ જોઇએ, તેવી જ રીતે પ્રમાણસિદ્ધ પક્ષ માટે પણ અન્ય પ્રમાણ લગાવવું જ પડે. અન્યથા એટલે જો એમ ન માનીએ તો પ્રમાણસિદ્ધ ધર્મી માટે જેમ અન્ય પ્રમાણ ન જોઇએ, તેમ વિકલ્પસિદ્ધ ધર્મી માટે પણ પ્રમાણની ગવેષણા કરવા વડે સર્યું. તથા જે પક્ષ વિકલ્પમાત્રથી જ મૂકાય છે. તે વિકલ્પમાત્ર સ્વરૂપ હોવાથી ગગનારવિંદ તુલ્ય જ છે. તેથી તેને સિદ્ધ કરવા પ્રમાણની ગવેષણા વડે સર્યું. તથા “વિક્લ્પસિદ્ધ ધર્મી પણ હોય છે.' એ માન્યતાની સિદ્ધિ માટે હું પ્રથમ સિદ્ધ કરૂં. હું પ્રથમ સિદ્ધ કરૂં. એવી સ્પર્ધા દ્વારા પ્રમાણના લક્ષણની પરીક્ષા કરવાનું પણ પરીક્ષક પુરુષોને રહેશે નહીં. કારણકે તાવનાત્રજૈવ-તેવા વિકલ્પમાત્રથી જ સર્વજ્ઞાદિ પક્ષોસંસારમાં છે જ, એમ તમારા કહેવા મુજબ સિદ્ધ થઇ જ જાય છે. અને આ રીતે જો મનના વિકલ્પમાત્રથી જ પક્ષાદિની સિદ્ધિ થતી હોય તો રાષ્ટ્ર: અનિત્ય: ચાક્ષુષાત્ ઇત્યાદિ (મિથ્યા) અનુમાનોમાં પણ સાધ્યસિદ્ધિ થાઓ. અને જે હેતુ છે. તે સાધ્યનો ગમક થવાથી સમ્યગ્ હેતુ જ બનો. આ પ્રમાણે બધું અવ્યવસ્થિત થશે. तदत्यल्पम्, विकल्पाद्धि सत्त्वासत्त्वसाधारणं धर्मिमात्रं प्रतीयते, न तु तावन्मात्रेणैव तदस्तित्वस्यापि प्रतीतिरस्ति । यतोऽनुमानानर्थक्यं भवेत्, अन्यथा पृथिवीधरसाक्षात् - कारे कृशानुमत्त्वसाधनमप्यपार्थकं भवेत् । तस्याग्निमतो वा प्रत्यक्षेणैव प्रेक्षणात् । જૈન–ઉપરોક્ત નૈયાયિકની વાત પણ સાર વિનાની છે. કારણ કે વિકલ્પમાત્રથી તો સત્ત્વ (અસ્તિત્વ) અને અસત્ત્વ (નાસ્તિત્વ) એમ બન્ને ધર્મોમાં સાધારણ એવો ધર્મમાત્ર પ્રતીત થાય છે. પરંતુ તેટલા માત્રથી જ ધર્મનું અસ્તિત્વ સાધ્ય પણ સમજાઇ જતું નથી કે જેથી તેના અનુમાનની નિરર્થકતા કહેવાય. વિકલ્પથી ધર્મીમાત્રની સિદ્ધિ થવા છતાં પણ પ્રમાણ આપ્યા વિના સાધ્યની સિદ્ધિ થતી નથી. તેથી સાધ્યસિદ્ધિ માટે અનુમાન પ્રમાણ આપવું જ પડે છે. માટે અનુમાન નિરર્થક નથી. જો સામાન્ય ધર્મીમાત્રની પ્રતીતિ થયે છતે સાધ્યની (સર્વજ્ઞાદિના અસ્તિત્વ કે નાસ્તિત્વની) પ્રતીતિ પણ જો થઇ જતી હોય તો પૃથિવીધર (પર્વત)નો સાક્ષાત્કાર કરાયે છતે કૃશાનુમત્ત્વ (અગ્નિવાળાપણું) સાધવું તે પણ નિરર્થક જ થશે. કારણકે પક્ષની સાથે (પર્વતની સાથે) Jain Education International ૭૫ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy