SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪ પરિચ્છેદ ૬-૫૧ તથા ત્ર विकल्पाद् धर्मिणः सिद्धिः क्रियतेऽथ निषिध्यते । द्विधापि धर्मिणः सिद्धिर्विकल्पात् ते समागता ॥ १ ॥ द्वयमपि नास्मि करोमीत्यप्यनभिधेयम्, विधिप्रतिषेधयोर्युगपद् विधानस्य प्रतिषेधस्य चासम्भवात् । यदि च द्वयमपि न करोषि तदा व्यक्तममूल्यक्रयी कथं नोपहासाय जायसे ? तथातायामाश्रयासिद्ध्युद्भावनाघटनात् ॥ રત્નાકરાવતારિકા ભાગ-૩ ઉપર કહેલી ચર્ચા પ્રમાણે હવે વિકલ્પમાત્રથી (મનમાં કરેલી કલ્પના માત્રથી) ધર્મીની (પક્ષની) સિદ્ધિ કરી શકાય છે. અથવા ધર્મનો (પક્ષનો) નિષેધ કરી શકાય છે. એમ નક્કી થયું. આ પ્રમાણે વિધાનકાલે અથવા નિષેધકાલે એમ બન્ને રીતે પણ વિક્લ્પમાત્રથી ધર્મની સિદ્ધિ તારે (બળાત્કારે પણ) સ્વીકારવી જ રહી. ચન્દ્રોપરામવિજ્ઞાનાન્યથાનુ૫૫ત્તે: આ હેતુથી ધર્મીના અસ્તિત્વની (વિધાનની) સિદ્ધિ કરો કે, પ્રમાળોચરત્વાત્ હેતુથી ધર્મીના નાસ્તિત્વની (નિષેધની) સિદ્ધિ કરો. પરંતુ બન્ને કાલે પક્ષની સિદ્ધિ તો વિક્લ્પમાત્રથી માનવી જ રહી. નૈયાયિક— હું વિધિનો પણ આશ્રય નહીં કરૂં અને નિષેધનો પણ આશ્રય નહીં કરૂં. અર્થાત્ અસ્તિ કે નાસ્તિ સાધ્ય સાધવા માટે ધર્મનું વિધાન કે ધર્મનો નિષેધ એમ બન્ને પણ હું નહીં કરૂં. જૈનાચાર્ય– હે નૈયાયિક ! આમ જો તું કહે તો તારે આવું ન કહેવું જોઇએ. કારણકે વિધિ અને પ્રતિષેધ બન્ને પરસ્પર વિરોધી હોવાથી બન્નેને અમે માનીએ છીએ એમ યુગપદ્વિધાન, કે બન્નેને અમે માનતા નથી. એમ યુગપનિષેધ કહેવો સંભવિત નથી. કારણકે એક ન માનો તો બીજો પક્ષ હોય જ. અને બીજો પક્ષ ન. માનો તો પ્રથમપક્ષ હોય જ છે. હવે હૈ નૈયાયિક જો તમે ધ્રુવપન રોષિ=પક્ષનું વિધાન કે પક્ષનો નિષેધ એમ બન્ને પણ નહીં કરો તો પક્ષની સ્થાપના વિના વાદીઓની સભામાં તમારા અનુમાનની રજુઆત કેમ કરી શકશો. ત્યારે તો મૂલ્ય (પૈસા) લીધા વિના વસ્તુ ખરીદ કરવા જનારાના જેવો તું પંડિતોની સભામાં મશ્કરી માટે કેમ નહી થાય ? અને તથાતાયામ્-જો વિકલ્પમાત્રથી પક્ષ હોઇ શકે છે. તેવા પ્રકારનું વચન સ્વીકારાય તો આશ્રયાસિદ્ધિ દોષનું ઉદ્દ્ભાવન સંભવતું જ નથી. Jain Education International ननु यदि विकल्पसिद्धेऽपि धर्मिणि प्रमाणमन्वेषणीयम्, तदा प्रमाणसिद्धेऽपि प्रमाणान्तरमन्विष्यताम्, अन्यथा तु विकल्पसिद्धेऽपि पर्याप्तं प्रमाणान्वेषणेन, अहमहमिकया प्रमाणलक्षणपरीक्षणं परीक्षकाणामकक्षीकरणीयं च स्यात् । तावन्मात्रेणैव For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy