SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ ૬-૫૧ सम्बद्धो हेतुः कथं व्यधिकरणः ? इति चेत्, ननु यदि साध्याधिगमप्रयोजकसम्बन्धाभावाद् वैयधिकरण्यमुच्यते तदानीं सम्मतमेवैतदस्माकं दोषः, किन्तु प्रमेयत्वादयोऽपि व्यधिकरणा एव वाच्याः स्युर्न व्यभिचार्यादयः, तस्मात् पक्षान्यधर्मत्वाभिधानादेव व्यधिकरणो हेत्वाभासस्ते सम्मतः, स चागमक इति नियमं प्रत्याचक्ष्महे । આ ૨૫માં બે નંબરનો જે વ્યધિકરણાસિદ્ધ” હેત્વાભાસ કહ્યો છે. તે હેત્વાભાસ જ હોય એવું બનતું નથી. સહેતુ પણ હોય છે. તેઓ પક્ષધર્માદિ પાંચ લક્ષણો સહેતુનાં માને છે. તેમાં પહેલું લક્ષણ પક્ષધર્મતા છે. એટલે હેતુનું પક્ષમાં હોવું તે પક્ષધર્મતા. જેમ પર્વતમાં વહ્નિ સાધવો હોય તો ધૂમનું પર્વતમાં હોવું આવશ્યક છે. તેને બદલે જો ધૂમ પર્વતને બદલે અન્યસ્થાનમાં હોય તો તે ધૂમ પર્વતમાં વહ્નિ કેવી રીતે સાધે ? તેથી પક્ષ વિનાના બીજા અધિકરણમાં જો હેતુ વર્તે તો વ્યધિકરણાસિદ્ધ હેત્વાભાસ થાય એમ તેઓનું કહેવું છે. પરંતુ હેતુ અને સાધ્યની સાથે જો અવિનાભાવ (અન્યથાનુપપત્તિ) બરાબર સંભવતો (સંભવતી) હોય તો હેતુ પક્ષમાં ન હોય પરંતુ વિરુદ્ધ અધિકરણમાં હોય તો પણ સાધ્યને સાધતો હોવાથી સહેતુ હોય છે. જેમકે ૬૫ સ પુત્ર: બ્રાહ્મા, પિત્રોદ્રંાળાત્ । આ છોકરો બ્રાહ્મણ છે. તેનાં માતા-પિતા બ્રાહ્મણ હોવાથી. पूर्वस्थले वृष्टो मेघः, नदीपूरस्यात्र दर्शनात्, देशान्तरस्थस्तत्पतिः मृत्युं प्राप्तो માતિ, તસ્યા વિશિષ્ટરુવનયાત્ર શ્રવણાત્। આવાં અનેક ઉદાહરણો છે કે જ્યાં સાધ્ય અને હેતુનો અવિનાભાવ સંબંધ બરાબર છે. અને હેતુ પક્ષવૃત્તિ ન હોય પરંતુ પક્ષથી વિરુદ્ધ અધિકરણવૃત્તિ હોય તો પણ તે સાધ્યનો ગમક બને છે. પ્રથમ ઉદાહરણમાં માત-પિતાનું બ્રાહ્મણ્ય એ પુત્રના બ્રાહ્મણ્યનું ગમક બને જ છે. સાધ્યભૂત બ્રાહ્મણ્ય પુત્રમાં હોવાથી પુત્ર એ પક્ષ છે અને હેતુભૂત બ્રાહ્મણ્ય માત-પિતામાં હોવાથી તે પક્ષથી વ્યધિકરણ છે. છતાં પુત્રના બ્રાહ્મણ્યને જણાવનારું અનુમાન થતું દેખાય છે. તે જ પ્રમાણે મેઘની વૃષ્ટિ પૂર્વદેશમાં અનુમાન કરાય છે. અને હેતુભૂત નદીનું પૂર અહીં દેખાય છે. તથા પરદેશમાં રહેલા પતિમાં મૃત્યુ સિદ્ધ કરાય છે. અને વિશિષ્ટ રુદન અહીં રહેલી તે પતિની સ્ત્રીમાં દેખાય છે. એમ હેતુ પક્ષવૃત્તિ ન હોય અને વ્યધિકરણવૃત્તિ હોય તો પણ (જો અવિનાભાવ સંબધ બરાબર હોય તો) સાધ્યનો ગમક બને જ છે. માટે વ્યધિકરણ હેત્વાભાસ એ હેત્વાભાસ નથી. પ્રશ્ન—જો હેતુ પક્ષધર્મતા વાળો ન હોય અને વ્યધિકરણવૃત્તિ હોય તો પણ સાધ્યનો ગમક બની શકતો હોય તો પક્ષમાં જ સાધ્યની સિદ્ધિ કેમ કરે? અન્યત્ર પણ ૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy