SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪ પરિચ્છેદ ૬-૫૧ રત્નાકરાવતારિકા ભાગ-૩ જે પદ “યત્વસામાન્યજ્વતિ' છે. તેમાં પ્રમેયત્વ પદ વ્યર્થ બને છે. તેથી વ્યર્થવિશેષ્યક-દેશાસિદ્ધ હેત્વાભાસ થાય છે. રિપો एवमन्येऽप्येकदेशासिद्ध्यादिद्वारेण भूयांसोऽसिद्धभेदाः, स्वयमभ्यूह्य वाच्याः । उदाहरणेषु चैतेषु दूषणान्तरस्य सम्भवतोऽप्यप्रकृतत्वादनुपदर्शनम् । त एते भेदाः भवद्भिः વાર્થ નામિહિતી: ? | उच्यते, एतेषु ये हेत्वाभासतां भजन्ते ते यदोभयवाद्यसिद्धत्वेन विवक्ष्यन्ते, तदोभयासिद्धेऽन्तर्भवन्ति, यदा तु अन्यतरासिद्धत्वेन तदाऽन्यतरासिद्ध इति ॥ આ પ્રમાણે ઉપર અસિદ્ધ હેત્વાભાસના જેમ ૨૫ ભેદો સમજાવ્યા, તેમ એકદેશની અસિદ્ધિ, એકદેશના એકદેશની અસિદ્ધિ આદિ દ્વારા અસિદ્ધ હેત્વાભાસના બીજા પણ ઘણા ભેદો સંભવે છે. તે બધા ભેદો સ્વયં વિચારીને સમજી લેવા. તે બીજા ભેદોનો અહીં હવે અમે વિસ્તાર કરતા નથી. તથા ઉપર અસિદ્ધહેત્વાભાસના ૨૫ ભેદોનાં જે રપ ઉદાહરણો આપ્યાં છે. તે ઉદાહરણોમાં તે તે હેત્વાભાસના દૂષણ ઉપરાંત બીજા હેત્વાભાસ થવા રૂપ દૂષણાન્તર પણ સંભવે છે. છતાં પણ એકેક ઉદાહરણોમાં કેટલાં કેટલાં દૂષણો સંભવે? તે બધું અપ્રસ્તુત (અપ્રાસંગિક) હોવાથી અહીં તેનું અનુપદર્શન કર્યુ છે. અર્થાત્ અહીં જણાવેલ નથી. હવે અહીં એવો પ્રશ્ન ઉઠે છે કે અસિદ્ધ હેત્વાભાસના આટલા બધા ભેદો હોવા છતાં આપશ્રી વડે (ગ્રંથકારશ્રી વાદિદેવસૂરિજી વડે) આ ગ્રંથમાં તે બધા ભેદો કેમ કહેવાયા નથી ? માત્ર ઉભયાસિદ્ધ અને અન્યતરાસિદ્ધ એમ બે જ ભેદો કેમ કહેવાયા ? આ પ્રશ્ન સમજાવવા માટે જ ઉપરોક્ત ભેદોનો વિસ્તાર કર્યો છે. ઉત્તર- ઉપરોક્ત આ ઉદાહરણોમાં જે જે સાચેસાચ હેત્વાભાસ છે. તે જો વાદી અને પ્રતિવાદી એમ ઉભયને અસિદ્ધ તરીકે માન્ય હોય તો તે ઉભયાસિદ્ધમાં અન્તર્ભત થઇ જાય છે. અને જો વાદી અથવા પ્રતિવાદી એમ બેમાંથી કોઈપણ એકને જ અમાન્ય હોય તો અન્યતરાસિદ્ધમાં તે અંતર્ભત થઈ જાય છે. માટે અધિક ભેદો કરવાની જરૂર નથી. વળી અન્ય દર્શનકારોએ ઉપરોક્ત જે ૨૫ અસિદ્ધહેત્વાભાસના ભેદો જણાવ્યા છે. તેમાં કેટલાક તો હેત્વાભાસ જ નથી. સહેતુ (સાચા હેતુ) છે. અને હેત્વાભાસરૂપે તે તે દર્શનકારોએ ગણી લીધા છે. તેની થોડીક ચર્ચા આ પ્રમાણે– व्यधिकरणासिद्धस्तु हेत्वाभासो न भवत्येव । व्यधिकरणादपि पित्रोर्ब्राह्मण्यात् पुढे ब्राह्मण्यानुमानदर्शनात् । नटभटादीनामपि ब्राह्मण्यं कस्मान्नायं साधयतीति चेत्, पक्षधर्मोऽपि पर्वतद्रव्यता, तत्र चित्रभानु किमिति नानुमापयति ? इति समानम् । व्यभिचाराच्चेत्, तदपि तुल्यम्, तत्पित्रोर्ब्राह्मण्यं हि तद्गमकम् । एवं तर्हि प्रयोजकसम्बन्धेन Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy