SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ ૬-૫૧ ૬૩ २३. व्यर्थैकदेशासिद्धो यथा, अग्निमानयं पर्वतप्रदेशः, प्रकाशधूमोपेतत्वात् ॥२३॥ २४. व्यर्थविशेषणैकदेशासिद्धो यथा, गुणः शब्दः, प्रमेयत्वसामान्यवत्त्वे सति बायैकेन्द्रियग्राह्यत्वात् । अत्र बाह्मैकेन्द्रियग्राह्यस्यापि रूपत्वादिसामान्यस्य गुणत्वाभावाद् व्यभिचारपरिहाराय "सामान्यवत्त्वे सति" इति सार्थकम्, प्रमेयत्वं तु व्यर्थम् ॥२४॥ २५. व्यर्थविशेष्यैकदेशासिद्धो यथा, गुण: शब्दो बाौकेन्द्रियग्राह्यत्वे सति प्रमेयत्वसामान्यवत्त्वात् ॥२५॥ અનુમાનમાં જે હેતુ મૂકવામાં આવ્યો હોય, તે હેતુનો એક ભાગ નિરર્થક જ મૂકવામાં આવે. તેને મૂકવાની કોઈ જરૂરિયાત ન હોય, છતાં વ્યર્થપણે જે એક ભાગ મૂકાય તે આ વ્યર્થે કદેશાસિદ્ધ હેત્વાભાસ કહેવાય છે. જેમકે પર્વતનો આ પ્રદેશ વહ્નિવાળો છે. કારણકે પ્રકાશ અને ધૂમથી યુક્ત છે. અહીં ધૂમોપેતત્વ એટલો જ હેતુ વહ્નિરૂપ સાધ્ય સાધવા માટે પૂરતો છે. છતાં “પ્રકાશ” એવું જે પદ મૂકાયું છે તે એક ભાગ વ્યર્થ છે. ર૩ છે. ૨૪. અનુમાનમાં હેતુ બે પદવાળો હોય, તેમાં જે વિશેષણવાચી પદ હોય તેનો એકભાગ વ્યર્થપણે મૂકવામાં આવ્યો હોય, આવશ્યક્તા ન હોય છતાં મૂક્યો હોય તે વ્યર્થવિશેષર્ણકદેશાસિદ્ધ કહેવાય છે. જેમકે શબ્દ એ ગુણ છે. પ્રમેયત્વધર્મ અને સામાન્યવત્ત્વ ધર્મવાળો શબ્દ હોતે છતે બાહ્ય એક ઇન્દ્રિયગ્રાહ્ય હોવાથી. આ હેતુમાં બાહ્ય એક ઇન્દ્રિયગ્રાહ્યત્વ એટલું વિશેષ્યવાચી એકલું પદ જો મૂકવામાં આવ્યું હોત તો રૂપત્ય, રસત્વ, ગંધત્વ, શબ્દત્વ, આદિ જે જાતિઓ છે. જે સામાન્ય છે. તે પણ તે તે એક જ બાલ્વેન્દ્રિયથી ગ્રાહ્ય છે. તેથી રૂપત્યાદિ સામાન્યમાં (ગુણ એવું સાધ્ય ત્યાં ન હોવા છતાં બાહ્યકેન્દ્રિય-ગ્રાહ્યત્વ હેતુ હોવાથી) વ્યભિચાર દોષ આવે છે. તે દોષના પરિહાર માટે વિશેષણવાચી પદની આવશ્યક્તા છે. પરંતુ તે વિશેષણવાચી પદમાં સામાન્યવત્તે તિ' એટલું જ માત્ર પદ જો મૂકવામાં આવે તો પણ રૂપસ્વાદિ જાતિઓમાં વ્યભિચારનો પરિહાર થઈ જ જાય છે. કારણકે રૂપલ્વાદિ જાતિઓ પોતે સામાન્યરૂપ છે. સામાન્યાત્મક છે. પરંતુ સામાન્યવાનું નથી. જાતિમાં જાતિ સ્વીકારાઈ નથી. તેથી વ્યભિચાર પરિહાર થઈ જતો હોવા છતાં “પ્રયત્ન' એવું જે પદ વિશેષણમાં વધારે મુક્યું છે તે વ્યર્થ છે. માટે વિશેષણનો એકભાગ વ્યર્થ હોવાથી આ હેત્વાભાસ થાય છે. ||| ૨૫. એજ રીતે આ જ અનુમાનમાં આ જ હેતુ ઉલટી રીતે રજુ કરવામાં આવે તો બાહ્યકેન્દ્રિયગ્રાહ્યત્વ એ વિશેષણવાચી પદ સંભવે છે. પરંતુ વિશેષ્યવાચી આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy