SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ ૬-૫૧ રત્નાકરાવતારિકા ભાગ-૩ તિમિર (અંધકાર) એ અભાવાત્મક (શૂન્યાત્મક) છે. દ્રવ્ય-ગુણ અને કર્મ આ ત્રણ પદાર્થોથી અતિરિક્ત હોતે છતે કાર્યરૂપ (ઉત્પત્તિમાન) હોવાથી. આ અનુમાનમાં “દ્રવ્ય-ગુણકર્માતિરિક્તત્વ” આ પદ વિશેષણવાચી રૂપે હેતુમાં છે. તેમાં જૈનો તિમિરને પુદ્ગલાસ્તિકાય દ્રવ્ય માનતા હોવાથી જૈનોને આશ્રયી દ્રવ્યથી અતિરિક્તત્વ અંધકારમાં ઘટતું નથી. ગુણ-કર્મથી અતિરિક્તત્વ ઘટે છે. તેથી વિશેષણના એકભાગનું અસિદ્ધત્વ થયું. // ૧૮ ૧૯. એવી જ રીતે વિશેષ્યના એકભાગનું પક્ષમાં અસિદ્ધત્વ હોય તે વિશેષ્યકદેશાસિદ્ધત્વ કહેવાય છે. આ જ અનુમાનમાં હેતુ ઉલટી રીતે જોડવાથી “દ્રવ્યગુણકર્માતિરિક્તત્વ' આ પદ વિશેષ્ય બનશે, તેનો એકદેશ દ્રવ્યાતિરિક્તત્વ તિમિરમાં જૈનોને આશ્રયી સંભવતો નથી. તેથી આ હેત્વાભાસ થાય છે. ૧૯ો. २०. संदिग्धैकदेशासिद्धो यथा, नायं पुरुषः सर्वज्ञः, रागवक्तृत्वोपेतत्वात् , अत्र ફિનિશ્ચિત રત્વે સન્તઃ ૨૦ | २१. संदिग्धविशेषणैकदेशासिद्धो यथा, नायं पुरुषः सर्वज्ञः, रागवक्तृत्वोपेतत्वे सति पुरुषत्वात् ॥२१॥ २२. सन्दिग्धविशेष्यैकदेशासिद्धो यथा, नायं पुरुषः सर्वज्ञः, पुरुषत्वे सति रागवक्तृत्वोपेतत्वात् ॥२२॥ ૨૦. અનુમાનમાં જે હેતુવાચી પદ છે, તેનો એક ભાગ પક્ષમાં સંદેહાત્મક હોય. નિશ્ચિત ન હોય તે સંદિગ્ધકદેશાસિદ્ધ કહેવાય છે. જેમકે “આ પુરુષ સર્વજ્ઞ નથી, કારણકે રાગ તથા વક્નત્વ ધર્મથી યુક્ત છે.” અહીં વન્નુત્વ ધર્મ પ્રત્યક્ષગોચર હોવાથી તે અંશમાં સંદેહ નથી. પરંતુ “રાગ” એ ઇન્દ્રિયનો વિષય ન હોવાથી વિવક્ષિત એવા આ વક્તામાં છે કે નહીં તેનો સંદેહ વર્તે છે. માટે હેતુના એક ભાગનો સંદેહ થયો. તેથી સંદિગ્ધકદેશાસિદ્ધ કહેવાય છે. ૨૦ ૨૧. અનુમાનમાં હેતુવાચી પદમાં જે વિશેષણ હોય, તેનો એકભાગ પક્ષમાં નિશ્ચિતપણે ન ઘટતો હોવાથી સંદેહાત્મક હોય, પરંતુ સિદ્ધ ન હોય, ત્યારે સંદિગ્ધવિશેષર્ણકદેશાસિદ્ધ કહેવાય છે. જેમકે “આ પુરુષ સર્વજ્ઞ નથી. રાગ અને વઝૂત્વ હોતે છતે પુરુષ હોવાથી. આ હેતુમાં વિશેષ્યવાચી પુરુષત્વ પદ તો દેખાય જ છે. પરંતુ વિશેષણવાચી પદમાં “રાગ” સ્વરૂપ જે એક અંશ વિશેષણનો છે. તેનો તે વિવક્ષિત પુરુષમાં સંદેહ છે. માટે વિશેષણના એક અંશનો સંદેહ કહેવાય છે. ll ૨૧II. ૨૨. આ જ અનુમાનમાં આ જ હેતુ ઉલટી રીતે જોડવાથી વિશેષણવાચી પુરુષપદ સિદ્ધ છે. પરંતુ વિશેષ્યવાચી પદમાંનો “રાગ” એવો એક અંશ સંદેહાત્મક છે.રરો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy