SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ ૬-૫૧ ૬ ૧ હેતુ ઓળખાયો ન હોય ત્યારે સન્દિગ્ધાસિદ્ધ હેત્વાભાસ થાય છે. જેમકે- પર્વત ઉપરથી ધૂમાડા જેવું કંઈક દેખાય, પરંતુ તે ધૂમ છે કે બાષ્પ (વરાળમાત્ર) છે. અથવા ધૂમસ છે. તેનો વિવેક બરાબર થયો ન હોય, મનમાં ધૂમ છે કે બાષ્પ (વરાળમાત્ર) છે એવો સંદેહ જ ચાલતો હોય, છતાં બહારથી ધૂમ છે એમ માનીને કોઈક વક્તા આવું બોલે કે “આ પ્રદેશ વહ્નિવાળો છે. ધૂમવાળો હોવાથી” અહીં હેતુનું સ્વરૂપ નિર્ણત ન હોવાથી સંદિગ્ધાસિદ્ધ કહેવાય છે. [૧૪] ૧૫ અનુમાનમાં મૂકાયેલા હેતુમાં બે પદ હોય. તે બે પદોમાં વિશેષ્યવાચી જે પદ છે. તેનું સ્વરૂપ સંદેહાત્મક હોય. અર્થાત્ વિશેષ્ય યથાર્થ નિણત ન હોય ત્યારે સંદિગ્ધવિશેષ્યાસિદ્ધ હેત્વાભાસ થાય છે. જેમ કે આ કપિલ હજુ પણ રાગાદિ-યુક્ત છે. કારણકે પુરુષ હોવા છતાં પણ હજુ ઉત્પન્ન તત્ત્વજ્ઞાનવાળો નથી. આ અનુમાનમાં જે પુરુષત્વ વિશેષણ છે તે તો બાધેન્દ્રિયગોચર હોવાથી નિશ્ચિત છે. પરંતુ અનુત્પન્નતત્ત્વજ્ઞાન એ વિશેષ્ય સંદેહાત્મક છે. કારણકે કોઈને પણ તત્ત્વજ્ઞાન ઉત્પન્ન થયું છે કે નથી ઉત્પન્ન થયું. તે બાદ્રિયનો અવિષય હોવાથી શંકાસ્પદ છે. ૧૫ ૧૬. એવી જ રીતે જે હેતુનું વિશેષ્ય નિશ્ચિત હોય. પરંતુ જેના વિશેષણમાં શંકા હોય તે સન્દિગ્ધવિશેષણાસિદ્ધ કહેવાય છે. આ જ હેતુમાં વિશેષણ-વિશેષ્ય ઉલટી રીતે જોડવાથી વિશેષ્ય એવા પુરુષત્વનો નિર્ણય છે. પરંતુ વિશેષણનો સંદેહ છે. માટે તે સંદિગ્ધ વિશેષણાસિદ્ધ કહેવાય છે. જે ૧૬ १७. एकदेशासिद्धो यथा, प्रागभावो वस्तु विनाशोत्पादधर्मकत्वात् । १८. विशेषणैकदेशासिद्धो यथा, तिमिरमभावस्वभावं, द्रव्यगुणकर्मातिरिक्तत्वे सति कार्यत्वात् । अत्र जैनान् प्रति तिमिरे द्रव्यातिरेको न सिद्धः॥१८॥ १९. विशेष्यैकदेशासिद्धो, यथा, तिमिरमभावस्वभावं, कार्यत्वे सति द्रव्यगुणकर्मातिरिक्तत्वात् ॥१९॥ ૧૭. અનુમાનમાં જે હેતુ મૂકવામાં આવ્યો હોય, તેનો એકદેશ (એટલે હેતુનો એક ભાગ પક્ષમાં અસિદ્ધ હોય. તે એકદેશાસિદ્ધ હેત્વાભાસ કહેવાય છે. જેમકેપ્રાગભાવ એ એક વસ્તુ (ઘટ-પટની જેમ પદાર્થવિશેષ) છે. વિનાશ અને ઉત્પત્તિ ધર્મયુક્ત હોવાથી. અહિં હેતુમાં જે વિનાશ પદ છે. તે પ્રાગભાવપક્ષમાં સિદ્ધ છે. કારણકે તે અનાદિસાત્ત છે. પરંતુ ઉત્પત્તિ-ધર્મયુક્તપણું જે કહ્યું. તે એકદેશ (હેતુનો એકભાગ) પ્રાગભાવ પક્ષમાં સંભવતો નથી. માટે એકદેશાસિદ્ધ કહેવાય છે. તે ૧૭ll ૧૮. અનુમાનમાં હેતુપણે મૂકાયેલા બે પદોમાંથી જે વિશેષણવાચી પદ હોય, તે પદનો એકભાગ, પક્ષમાં અસિદ્ધ હોય તો વિશેષણ એકદેશાસિદ્ધ હેત્વાભાસ કહેવાય છે. જેમકે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy