SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬ પરિચ્છેદ ૬-૫૧ રત્નાકરાવતારિકા ભાગ-૩ प्रतिपादितम् । न चान्यत्र प्रतिपादितमन्यत्र सिद्धं भवति । मीमांसकस्य वा कुर्वतो व्यधिकरणासिद्धम् ॥२॥ ૨. જે હેતુનું અધિકરણ પક્ષ ન હોય, પણ પક્ષથી વિરુદ્ધ (અર્થાત્ પક્ષભિન્ન) હોય તે આ અસિદ્ધ હેત્વાભાસને વ્યધિકરણાસિદ્ધ કહેવાય છે. જેમકે શબ્દ એ અનિત્ય છે- પટમાં કૃતકપણું હોવાથી. આવા પ્રકારના અનુમાનમાં હેતુરૂપે કહેવાયેલું કૃતકત્વ, પક્ષભૂત શબ્દથી ભિન્ન એવા પટમાં જણાવાયું છે. તેથી વિરુદ્ધ અધિકરણ હોવાથી વ્યધિકરણાસિદ્ધ કહેવાય છે. અહીં કોઈ પ્રશ્ન કરે કે શબ્દથી ભિન્ન એવા પટાદિમાં ભલે કૃતકત્વ જણાવાયું હોય, પરંતુ પક્ષભૂત એવા શબ્દમાં પણ કૃતકત્વ છે તો ખરું જ. એટલે અધિકરણમાં પણ હોવાથી વ્યધિકરણસિદ્ધ કેમ કહેવાય ? તેનો ઉત્તર એ છે કે-શબ્દમાં (પક્ષમાં) કૃતકત્વ છે. એ વાત અવશ્ય સાચી છે. પરંતુ આ અનુમાનમાં તેમ જણાવાયું નથી. આ અનુમાનમાં તો કૃતકત્વ એ શબ્દથી ભિન્ન એવા પટાદિમાં જણાવાયું છે. માટે વ્યધિકરણાસિદ્ધ જ કહેવાય છે. કારણ કે અન્ય સ્થાને પ્રતિપાદન કરેલું (કૃતકત્વ) એ કંઈ અન્યસ્થાને સિદ્ધ થઇ જતું નથી. માટે વ્યધિકરણસિદ્ધ જ છે. અથવા આવા અનુમાનને કરતા એવા મીમાંસકને આ હેતુ વ્યધિકરણસિદ્ધ જાણવો. કારણકે મીમાંસકો શબ્દને અપરિણામી એટલે કે નિત્ય માને છે. એટલે કૃતકત્વ હેતુ (શબ્દ નિત્ય માનેલ હોવાથી) ત્યાં રહેતો નથી જ. અન્ય ઘટ-પટાદિમાં જ રહે છે. તેથી વ્યધિકરણાસિદ્ધ જ છે. સ્વરૂપાસિદ્ધ એટલે પક્ષમાં હેતુનું ન હોવું. અને વ્યધિકરણસિદ્ધ એટલે પક્ષભિન્નમાં હેતુનું હોવું. આ પ્રમાણે બન્ને હેત્વાભાસમાં તફાવત જાણવો. પક્ષમાં હેતુ ન હોય તે સ્વરૂપાસિદ્ધ અને પક્ષભિન્નમાં હેતુ હોય તે વ્યધિકરણસિદ્ધ હેતુ કહેવાય છે. ૨. ३. विशेष्यमसिद्धं यस्यासौ विशेष्यासिद्धो, यथा अनित्यः शब्दः, सामान्यवत्त्वे सति चाक्षुषत्वात् ॥३॥ ૪. વિશેષ સિદ્ધ યથા, નિત્ય , ચાક્ષુષત્વે સતિ સામાન્ચવત્તાત્ ા અસિદ્ધ હેત્વાભાસના સ્વરૂપાસિદ્ધ અને વ્યધિકરણાસિદ્ધ એમ બે ભેદ સમજાવીને હવે ત્રીજા અને ચોથા ભેદને સમજાવે છે. ૩. વિશેષ્યાસિદ્ધ, ૪ વિશેષણાસિદ્ધ. જ્યારે હેતુમાં બે પદો હોય કે જે બે પદોમાં એક પદ વિશેષ હોય અને બીજાં પદ વિશેષણ હોય ત્યારે તે બે પદોમાંથી જો વિશેષ્યવાચી પદ પક્ષમાં ન સંભવતું હોય તો વિશેષ્યાસિદ્ધ કહેવાય છે. અને વિશેષણવાચી પદ જો પક્ષમાં ન સંભવતું હોય તો વિશેષણાસિદ્ધ કહેવાય છે. આ બન્ને હેત્વાભાસ બે પદોવાળા હેતુમાં જ સંભવે છે. જેમકે- શબ્દ એ અનિત્ય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy