SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ પરિચ્છેદ ૬-૪૨ द्वितीयप्रकारं प्रकाशयन्ति अनुमाननिराकृतसाध्यधर्मविशेषणो यथा नास्ति सर्वज्ञो રત્નાકરાવતારિકા ભાગ-૩ वीतरागो वा ॥ ૬-૪૨॥ टीका - अत्र हि यः कश्चिन्निर्ह्रासातिशयवान्, स कश्चित् स्वकारणजनितनिर्मूलक्षयः यथा कनकादिमलो, निहूसातिशयवती च दोषावरणे इत्यनेनानुमानेन सुव्यक्तैव बाधा । एतस्मात् खल्वनुमानाद् यत्र क्वचन पुरुषधौरेये दोषावरणयोः सर्वथा प्रक्षयप्रसिद्धि:, स एव सर्वज्ञो वीतरागश्चेति । एवमपरिणामी शब्द इत्यादिरपि प्रतिज्ञा " परिणामी शब्दः कृतकत्वान्यथाऽनुपपत्तेः" इत्याद्यनुमानेन વાધ્યમાના-ત્રોનાહરીયા ૫૬-૪૨॥ નિરાકૃતસાધ્યધર્મ પક્ષાભાસનો બીજો ભેદ સમજાવે છે– સૂત્રાર્થ- આ સંસારમાં સર્વજ્ઞ કોઇ નથી અથવા વીતરાગ કોઇ નથી. આવી પ્રતિજ્ઞા એ અનુમાન નિરાકૃત સાધ્યધર્મ વિશિષ્ટ છે. ૬-૪૨ા ટીકાનુવાદ– “આ સંસારમાં કોઇપણ પુરુષ સર્વજ્ઞ નથી અથવા વીતરાગ નથી” આવું અનુમાન જો કોઇ વાદી કહે તો આ અનુમાનમાં કરેલી “સર્વજ્ઞ નથી’ કે “વીતરાગ નથી’” તે પ્રતિજ્ઞા તેની સામે વિરોધી એવા પ્રતિસ્પર્ધી અનુમાન વડે બાધિત થાય છે. તે પ્રતિસ્પર્ધી અનુમાન આ પ્રમાણે— Jain Education International અહીં જે કોઇ પદાર્થ નિશ્ચિતપણે હ્રાસ (હાનિ) અને અતિશય (વૃદ્ધિ)વાળો હોય છે. અર્થાત્ અપકર્ષ અને ઉત્કર્ષવાળો હોય છે. તે પદાર્થ અવશ્ય પોતાના કારણોથી થયેલા પૂર્ણ ક્ષયવાળો પણ હોય જ છે. જેમ કે સુવર્ણનો મેલ. સારાંશ કે સુવર્ણમાં મળેલો મેલ ઓછા-વધતા પ્રમાણમાં ક્ષય થતો દેખાય જ છે. તેથી તે મેલને દૂર કરવાનાં પૂર્ણ કારણો મળે તો તે પૂર્ણ કારણોથી કરાયેલા પૂર્ણ મેલક્ષયવાળું પણ સુવર્ણ બની શકે છે. તેવી જ રીતે સંસારી જીવોમાં રહેલા મોહના દોષો, અને જ્ઞાનનાં આવરણો પણ નક્કી હ્રાસ અને અતિશયવાળાં જ છે. તેથી તે દોષોનો અને આવરણોનો પણ સંપૂર્ણપણે ક્ષય થઇ શકે છે. અને ક્ષયનાં કારણો પૂર્ણપણે જેને પ્રાપ્ત થયાં છે. ત્યાં તે દોષ અને આવરણોનો પૂર્ણપણે ક્ષય થાય જ છે તેથી આ અનુમાન વડે સર્વજ્ઞ કે વીતરાગ કોઇ નથી” એવા અનુમાનને સારી રીતે બાધા આવે જ છે. આ અનુમાનથી જે કોઇ પુરુષ વિશેષમાં દોષો અને આવરણોનો ક્ષયવિશેષ થયેલો અર્થાત્ સર્વથા પ્રક્ષય થયેલો પ્રસિદ્ધ છે. તે જ પુરુષવિશેષ સર્વજ્ઞ પણ છે અને વીતરાગ પણ છે જ. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy