SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ રત્નાકરાવતારિકા ભાગ-૩. પરિચ્છેદ ૬-૪૩ ૪૩ સારાંશ કે સંસારમાં જે જે વસ્તુઓ હાનિ-વૃદ્ધિવાળી હોય છે. તેનો ક્યાંક સર્વથા અંત પણ હોય જ છે. જેમ સુવર્ણમાં રહેલો મેલ અગ્નિદ્વારા દૂર કરાતો જોવાય જ છે. તેથી સંપૂર્ણ પણે મેલ દૂર કરવાનાં કારણો સાથે તપાવવામાં આવે તો મેલ સંપૂર્ણપણે દૂર કરી શકાય છે. તેમ આત્મામાં રહેલ મોહના દોષો અને જ્ઞાનનાં આવરણો પણ વ્યક્તિએ વ્યક્તિએ વધ-ઘટ થતાં અનુભવાય જ છે. તેથી તે સંપૂર્ણપણે પણ ક્ષય કરી શકાય જ છે. માટે જેમાં સંપૂર્ણપણે ક્ષય થાય છે તે પુરુષ સર્વજ્ઞ અને વીતરાગ છે. આવા પ્રકારના સર્વજ્ઞ અને વીતરાગની સિદ્ધિના અનુમાનથી “સર્વજ્ઞ નથી” કે “વીતરાગ નથી''નું જે અનુમાન હતું તેની બાધા સુવ્યક્ત જ છે. માટે તે અનુમાનનો પક્ષ અનુમાનનિરાકૃત સાધ્ય ધર્મવાળો કહેવાય છે. એવી જ રીતે “શબ્દ એ અપરિણામી” છે. એમ કોઇએ કહ્યું, તેની સામે બીજા વાદીએ પ્રતિસ્પર્ધી આવા પ્રકારનું અનુમાન રજુ કર્યું કે શબ્દ એ પરિણામી છે કારણ કે અન્યથા (જો પરિણામી ન હોત તો) કૃતકત્વ તે શબ્દમાં ઘટી શકે નહી. આવા અનુમાન વડે પૂર્વનું અનુમાન બાધા પામે જ છે. ઇત્યાદિ બીજાં ઉદાહરણો પણ અહીં સમજી લેવાં. || ૬-૪૨. अथ तृतीयं भेदमाहुः आगमनिराकृतसाध्यधर्मविशेषणो यथा जैनेन रजनीभोजनं મનનીયમ્ ! ૬-૪રૂ I टीका-अत्थं गयंमि आइच्चे, पुरत्था य अणुग्गए । આહારમાદ્ય સબં, મUસા વિ જ પત્થઈ છે ? इत्यादिना हि प्रसिद्धप्रामाण्येन परमागमवाक्येन क्षपाभक्षणपक्षः प्रतिक्षिप्यमाणत्वान्न साधुत्वमास्कन्दति । एवं जैनेन परकलत्रमभिलषणीयમિત્યાઘુતાદિરીયમ્ + ૬-૪રૂ I નિરાકૃતસાધધર્મ પક્ષાભાસના ત્રીજા ભેદને સમજાવે છે સૂત્રાર્થ-“જેનોએ રાત્રિ-ભોજન કરવું જોઇએ” આ આગમથી નિરાકૃત સાધ્યધર્મ વિશિષ્ટ પક્ષાભાસ છે. ૬-૪૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy