SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ ૬-૪૦ રત્નાકરાવતારિકા ભાગ-૩ આ પ્રતીતધર્મવાળા પક્ષાભાસની જ “સિદ્ધસાધન” અથવા “પ્રસિદ્ધસમ્બન્ધ” એવી બીજી બે સંજ્ઞા છે. તે અવિરુદ્ધ (બરાબર) જ છે. કારણકે પ્રતીતને સાધવું એટલે કે સિદ્ધને સાધવું છે, અથવા જેનો જેમાં સંબંધ પ્રસિદ્ધ જ છે તે સાધવું. એમ બન્ને નામોના અર્થ વિવક્ષિત નામની સાથે સમાન જ છે. માટે અવિરુદ્ધ છે. ૬-૩૯થી द्वितीयपक्षाभासं भेदतो नियमयन्ति - ૪૦ निराकृतसाध्यधर्मविशेषण: प्रत्यक्षानुमानागमलोकस्ववचनादिभिः साध्यधर्मस्य निराकरणादनेकप्रकारः ॥६-४०॥ टीका - प्रत्यक्षनिराकृतसाध्यधर्मविशेषणः, अनुमाननिराकृतसाध्यधर्मविशेषणः, आगमनिराकृतसाध्यधर्मविशेषणः, लोकनिराकृतसाध्यधर्मविशेषणः, स्ववचननिराकृतसाध्यधर्मविशेषणः, आदिशब्दात् स्मरणनिराकृतसाध्यधर्मविशेषणः, प्रत्यभिज्ञाननिराकृतसाध्यधर्मविशेषण:,, तर्कनिराकृतसाध्यधर्मविशेषणश्चेति ॥ ६-४०॥ પ્રતીતસાધ્યવાળા પ્રથમ પક્ષાભાસને સમજાવી હવે નિરાકૃતસાધ્યવાળા દ્વિતીયપક્ષાભાસને સમજાવતાં તેના ભેદ જણાવવાપૂર્વક સમજાવે છે— સૂત્રાર્થ-નિરાકૃતસાધ્યધર્મ વિશેષણવાળો આ બીજો પક્ષાભાસ પ્રત્યક્ષથી, અનુમાનથી, આગમથી, લોકથી અને સ્વવચન આદિથી સાધ્યધર્મનું નિરાકરણ કરવાથી અનેકપ્રકારનો છે. || ૬-૪૦ના ટીકાનુવાદ-જે પક્ષમાં જે સાધ્ય નથી જ, આવી પ્રસિદ્ધિ પ્રત્યક્ષ-અનુમાન અને આગમ આદિ પ્રમાણોથી થઇ ચૂકી હોય. છતાં તે પક્ષમાં તે સાધ્ય સાધવા જે પ્રયત્ન કરવામાં આવે તે નિરાકૃત સાધ્યધર્મ વિશિષ્ટ દ્વિતીય પક્ષાભાસ કહેવાય છે. પક્ષમાં સાધ્ય નથી જ એ વાત પ્રત્યક્ષાદિ જે પ્રમાણોથી કરવામાં આવી છે. તે પ્રમાણો ઉપરથી તેનાં નામો તથા ભેદો પાડવામાં આવે છે. તેના કુલ ભેદો ૮ છે. તે આ પ્રમાણે— (૧) પ્રત્યક્ષ પ્રમાણ વડે જેમાં સાધ્યનો નિષેધ સિદ્ધ જ હોય છતાં ત્યાં સાધ્ય સાધવામાં આવે તે પ્રથમભેદ ‘પ્રત્યક્ષનિરાકૃતસાધ્યધર્મ વિશિષ્ટ પક્ષાભાસ.” (૨) અનુમાન પ્રમાણ વડે જેમાં સાધ્યનો નિષેધ સિદ્ધ હોય, છતાં સાધ્ય ત્યાં સાધવામાં આવે બીજો ભેદ “અનુમાનિરાકૃતસાધ્યધર્મ વિશિષ્ટ પક્ષાભાસ.' (૩) એવી જ રીતે “આગમનિરાકૃતસાધ્યધર્મ વિશિષ્ટ પક્ષાભાસ.’ (૪) લોકથી જ્યાં સાધ્ય નિષિદ્ધ હોય તે “લોકનિરાકૃતસાધ્યધર્મ વિશિષ્ટ પક્ષાભાસ.' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy