SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ ૬-૩૯ तत्राद्यं पक्षाभासमुदाहरन्ति - प्रतीतसाध्यधर्मविशेषणो यथाऽऽर्हतान् प्रत्यवधारणवर्जं परेण प्रयुज्यमानः समस्ति जीव इत्यादिः ॥ ६-३९॥ टीका - अवधारणं वर्जयित्वा परोपन्यस्तः समस्तोऽपि वाक्प्रयोग आर्हतानां प्रतीतमेवार्थं प्रकाशयति । ते हि सर्वं जीवादिवस्त्वनेकान्तात्मकं प्रतिपन्नाः, ततस्तेषामवधारणरहितं प्रमाणवाक्यं सुनयवाक्यं वा प्रयुज्यमानं प्रसिद्धमेवार्थमुद्भावयतीति व्यर्थस्तत्प्रयोगः, सिद्धसाधनः प्रसिद्धसम्बन्ध इत्यपि संज्ञाद्वयमस्या - વિરુદ્ધમ્ ॥૬-રૂ॰૧૫ પક્ષાભાસના ત્રણ ભેદ પૈકી પ્રતીતસાધ્યધર્મવિશેષણ એ નામના પ્રથમભેદને ગ્રંથકારશ્રી સમજાવે છે– ૩૯ સૂત્રાર્થ-‘“જીવ છે” ઇત્યાદિ અવધારણ વિનાનો પરવાદી વડે જૈનો પ્રત્યે કરાતો વાક્યપ્રયોગ તે પ્રતીતસાધ્યધર્મ વિશેષણ પક્ષાભાસ છે. II૬-૩૯લા ટીકાનુવાદ–પક્ષમાં અપ્રતીત સાધ્યને સાધીએ તો જ તે પક્ષને સાચો પક્ષ કહેવાય. કારણકે પક્ષનું સાચું લક્ષણ તે છે. પરંતુ જે પક્ષમાં જે વાત પ્રતીત (પ્રસિદ્ધ) જ છે. સર્વ જન સાધારણ અનુભવસિદ્ધ જ છે. છતાં તે પક્ષમાં તે સાધ્યને સાધીએ તો જણાવેલ લક્ષણથી (સ્વરૂપથી) વિપરીત છે. માટે પ્રથમ પક્ષાભાસ કહેવાય છે. જેમકે આર્હતો (જૈનો)ને સર્વ વસ્તુઓ સ્યાદ્વાદ (અનેકાન્તવાદ) યુક્ત હોવાથી તેઓ સ્યાદ્ભિન્ન, સ્યાદ્ અભિન્ન, સ્યાનિત્ય, સ્યાદ્ગનિત્ય જ માને છે. આ વાત જૈનોમાં તથા અન્યદર્શનકારોમાં પણ જાણીતી જ છે. છતાં અન્યદર્શનકારો જૈનોની સામે વાદવિવાદમાં ઉતરે ત્યારે તેઓ ‘“નીવ: (સ્યાદ્) મસ્તિ'' જીવ કથંચિદ્ છે. અર્થાત્ સ્વદ્રવ્યાદિથી છે. અને પરદ્રવ્યાદિથી નથી. એમ એવકાર વિના પ્રયોગ કરે તો આવી વાત જૈનોને તો પ્રતીત છે જ, માટે પ્રતીત સાધ્યને સાધવું તે પક્ષના લક્ષણ (સ્વરૂપ)થી વિપરીત છે. માટે તેને પ્રતીતસાધ્યધર્મ વાળો પક્ષાભાસ કહેવાય છે. આ પ્રમાણે અવધારણ વર્જીને પરે કહેલો સમસ્ત પણ વચનપ્રયોગ જૈનોની સામે તો પ્રસિદ્ધ જ અર્થને કહેનાર બને છે. કારણકે તે-તે જૈનો જીવાદિ સર્વવસ્તુને અનેકાન્તાત્મક સ્વીકારે છે. તેથી તે જૈનોની સામે અવધારણ વિનાનું બોલાયેલું પ્રમાણવાક્ય કે સુનયવાળું વાક્ય પોતાના માન્ય પ્રસિદ્ધ અર્થને જ પ્રકાશિત કરે છે. તેથી પરવાદીનો આ વાક્યપ્રયોગ વ્યર્થ જ છે. માટે પ્રતીતસાધ્યવાળો પક્ષાભાસ બને છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy